________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. હેતુ અને નય હેતુ એટલે કારણ. કારણ બે પ્રકારનાં છે : ૧. ઉપાદાનકારણ ૨. નિમિત્તકારણ.
૧. જેના વિના કાર્ય ટકી ન શકે તે ઉપાદાનકારણ કહેવાય. જેમ ઘડાનું ઉપાદાનકાર માટી છે. મોક્ષરૂપ કાર્યનું ઉપાદાનકારણ આત્મા છે, કપડાનું ઉપાદાનકારણ તાંતણા છે, જેના નારા સાથે કાર્યનો નાશ થાય તે ઉપાદાનકારણ કહેવાય. ઉપાદાનકારણ કાર્યરૂપી શરીરની ધાતુ છે.
૨. ઉપાદાન સિવાયનાં કારણોને નિમિત્તકારણ કહેવાય. ઘડાનું ઉપાદાનકારણ જેમ માટી છે, તેમ ઘડાનું નિમિત્તકારણ દંડ, ચક્ર, કુંભાર વગેરે કહેવાય. મોક્ષનું ઉપાદાનકારણ જેમ આત્મા, તેમ નિમિત્તકારણ પરમાત્મા, ગુરુ, ધર્મ વગેરે કહેવાય.
નય
૧. પ્રમાણથી પરિચ્છિન્ન અનંતધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનારા (બીજા અંશોનો પ્રતિક્ષેપ કર્યા વિના) અધ્યવસાય વિશેપને “નય ૧૮ કહેવામાં આવે છે.
૨. પ્રત્યેક પદાર્થ અનંતધર્માત્મક હોય છે. “પ્રમાણ એ પદાર્થને અનંતધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય' એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મન ગ્રહણ કરે છે ને સિદ્ધ કરે છે; પરંતુ એક ધર્મનું ગ્રહણ કરતા, પ્રતિપાદન કરતા બીજા ધમાંનું ખંડન ન થાય,
પ્રમાણ” અને “નય' માં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશ)૧૮૮ છે. જેવી રીતે સમુદ્રનો એક દેશ-અંશ સમુદ્ર ન કહેવાય, તેવી રીતે અપ્રમાણ પણ ન કહેવાય.
૧૮૬. ૩૨મું સર્વનયાશ્રય અષ્ટક, શ્લોક ૧. १८७. प्रमाणपरिच्छन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेश पाहिणरस्स दितरंशाप्रतिक्षेपिणो
ऽध्यवसायविशेषा नयाः। - जैन तर्कभाषायाम । १८८. यथा हि समुद्रैकदेशो न समुद्रो नाप्यसमुद्रस्तथा नया अपि न प्रमाणं न वाऽप्रमाणमिति
- जैन तर्कभाषायाम्
For Private And Personal Use Only