________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
પ્રશમરતિ - ૩, “શ્રી વ રસૂત્ર' ની ટીકામાં શ્રીયુત્ મલયગિરિજીએ પ્રતિપાદન કર્યું છે કેઃ “જે નય નયાન્તર સાપેક્ષતાથી ‘સ્માતુ'પદયુક્ત વસ્તુને સ્વીકારે છે, તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકારે છે, માટે તેનો “પ્રમાણમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. જે નયાન્તર નિરપેક્ષતાથી સ્વાભિપ્રેત ધર્મના આગ્રહપૂર્વક વસ્તુને ગ્રહણ કરવાનો અભિપ્રાય ધારણ કરે છે તે ‘નય' કહેવાય. વસ્તુના એક દેશનું ગ્રહણ કરતો હોવાથી.
નયની પરિભાષા નન્યવાદને મિથ્યાવાદ સિદ્ધ કરે છે. ‘બે જ મિચ્છાવાળો: આ આગમની ઉક્તિથી સર્વે નયાનો વાદ મિથ્યાવાદ છે. નયાન્તર નિરપેક્ષ નયને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નામાર કહે છે.
‘શ્રી સતિ-ત' માં સિદ્ધસેન દિવાકરસૂરિજી નયોના મિથ્યાત્વ અને સમ્યક્તનું માધ્યમ આ રીતે બતાવે છે.
___तम्हा सव्वे वि मिच्छादिट्ठी सपक्खपडिवद्धा।
अण्णोण्णणिस्सिया उण हवन्ति सम्मत्तसभावा ।।२१।। “સ્વપક્ષ-પ્રતિબદ્ધ સર્વે નયા મિથ્યાષ્ટિ છે. અન્યોન્ય સાપેક્ષ સર્વે નથી સમકિતદૃષ્ટિ છે.' દૃષ્ટાંત દ્વારા ઉપરોક્ત કથનને સમજાવતાં તેઓશ્રીએ કહ્યું છે :
जहअणेयलक्खणगुणा वेरुलियाईमणिविसंजुत्ता। रयणावलिववएसं न लहति महाघमुल्ला वि ||२२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्ण-पक्खणिखेक्खा
सम्मईसणसई सच्चे विणया ण पार्वति ।।२३।। જેવી રીતે વિવિધ લક્ષણોથી યુક્ત વૈર્યાદિ મણિ મહાન કિંમતી હોવા છતાં, જુદા જુદા હોય ત્યાં સુધી “રત્નાવલિ' નામ પામી શકતા નથી, તેવી રીતે નયો પણ રવિપયનું પ્રતિપાદન કરવામાં સુનિશ્ચિત હોવા છતાં જ્યાં સુધી અન્યોન્ય-નિરપક્ષ પ્રતિપાદન કરે ત્યાં સુધી “સમ્યગુર્શન' નામ પામી શકતા. નથી. અર્થાત “સુનય' કહેવાતા નથી. १८९. इह यो नयो नयान्तरसापेक्षतया स्यात्पदलाञ्छितं वस्तु प्रतिपद्यते सः परमार्थतः
परिपूर्ण वस्तु गृह्णाति इति प्रमाण एवान्तर्भवति, यस्तु नयवादान्तर निरपेक्षतया स्वाभिप्रेतेनैय धर्मेण अवधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नया
- आवश्यकसूत्र-टीकायाम
For Private And Personal Use Only