________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
- પ્રશમરતિ ૧. દ્રવ્યદૃષ્ટિએ “ઘડા સુવર્ણમય નથી.” ૨. ક્ષેત્રદૃષ્ટિએ ‘ઘડો સુરતનો નથી.' ૩, કાળષ્ટિએ “ઘડો જૂનો નથી.' ૪. ભાવષ્ટિએ “ઘડો કાળો નથી.”
ઘડો જે જે રૂપે છે તે એના સ્વપર્યાય કહેવાય : જે જે રૂપે નથી તે એના પરપર્યાયો કહેવાય,
પ્રશ્ન : પરપર્યાય' તો પરના પર્યાય કહેવાય ને? પોતાના કેવી રીતે ? ઉત્તર : પરના તો એ “સ્વપર્યાય’ કહેવાય! પરપર્યાય ન કહેવાય.
પ્રશ્ન : દ્રવ્યમાં રહે તે એનો પર્યાય કહેવાય ને? જે અવસ્થા એમાં નથી રહેતી તે એનો પર્યાય કેવી રીતે કહેવાય?
ઉત્તર : વસ્તુમાત્રમાં અવસ્થાઓ બે પ્રકારની હોય છે-૧. વિધાનયોગ્ય અને ૨. નિષેધયોગ્ય, દા.ત., ઘડામાં માટીમયતાનું વિધાન છે, સુવર્ણમયતાનો નિષેધ છે. વિધાનરૂપે માટીમયતા જેમ ઘડાની અવસ્થા છે તેમ નિષેધ રૂપે સુવર્ણમયતા પણ એ જ ઘડાની અવસ્થા છે!
પ્રશ્ન : માટીમય કોણ?' ઉત્તર : “ઘડો.' પ્રશ્ન : “સુવર્ણમય કોણ નહીં?' ઉત્તર : એ જ ઘડો! તાત્પર્ય એ છે કે વિધિમુખે અવસ્થા સ્વપર્યાય કહેવાય. નિષેધમુખે અવસ્થાને પરપર્યાય કહેવાય. આ પરપર્યાય અનંત હોય છે.
૫. શબ્દ અને અર્થ ૧૮૫ “શબ્દપ્રાકૃત' માં કહેલાં લક્ષણોવાળા શબ્દો બે પ્રકારના છે : પ્રાકૃત અને સંસ્કૃત. “શબ્દપ્રાભૃતનો સમાવેશ ચૌદ પૂર્વોમાં થયેલો છે. એ “શબ્દપ્રાકૃત'માંથી ‘પ્રાકૃત વ્યાકરણ” અને “સંસ્કૃત વ્યાકરણ' લેવામાં આવેલાં છે.
ઘર, પદ, અશ્વ વગેરે શબ્દો કહેવાય. શબ્દો અનંત છે. અર્થ : શબ્દના અભિધેયને અર્થ કહેવાય. અથ અનંત છે. ‘અર્થ' શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે : 'મર્ધન્ડધિmતેની વેતિ અર્થ ! જવાનું, જણાવું, ઇચ્છાવું તે અર્થ.
૧૮પ, બ્લોક નં.૩
For Private And Personal Use Only