________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમન અને પર્યાય
૫૨૫ પર્યાય ની બીજી પરિભાષા છે અવસ્થા. પર્યાય એટલે અવસ્થા. બદલાતા સ્વરૂપને અવસ્થા કહેવાય. આ અવસ્થાઓ દ્રવ્ય'ની હોય છે. દા.ત., માટી એક દ્રવ્ય છે. તેનો પિંડ થાય, શરાવ થાય, ઘડો થાય. આ બધી માટીની અવસ્થાઓ કહેવાય, અર્થાત્ “પર્યાય' કહેવાય.
પર્યાયોનો આધાર દ્રવ્યો હોય. માટે એ દ્રવ્યોને સમજવાં જોઈએ. વિશ્વમાં મુખ્ય છ દ્રવ્યો છે. સમસ્ત જગત આ મૂળભૂત છ દ્રવ્યોનો સમૂહ છે. એ દ્રવ્યોમાં પર્યાયોનું પરિવર્તન તે જગતનું સંચાલન છે. છ દ્રવ્યોનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈને પછી પર્યાયોના સ્વરૂપને સમજીએ.
૧. ધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક દ્રવ્ય. ૨. અધર્માસ્તિકાય : જીવ અને ૫ગલની સ્થિરતામાં સહાયક દ્રવ્ય. ૩. આકાશાસ્તિકાય : દ્રવ્યોને અવકાશ (જગ્યા) આપના દ્રવ્ય. ૪. જીવારિકાય : જીવ, આત્મા, ચેતન, જીવ અનંત છે. ૫. પુલાસ્તિકાય : રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સ્વભાવવાળું. ક, કાળ : દ્રવ્યોમાં નવું' “જૂનું' એવો વ્યવહાર થવામાં નિમિત્ત. આ દ્રવ્યોમાં જે પર્યાયો હોય છે તે મુખ્યરૂપે બે પ્રકારના હોય છે. ૧. સ્વપર્યાય. ૨. પરપર્યાય. આમાં સ્વપર્યાયો મુખ્યરૂપે ચાર અપેક્ષાઓથી ઓળખાય છે : ૧: પર્યાયનું ઉપાદાન શું? ૨. એનું ક્ષેત્ર કયું? ૩. એના કાળ કયાં? ૪. એનો ભાવ શું?
દા.ત., એક “ઘડા” લઈએ. દ્રષ્ટિએ એ ઘડાનું ઉપાદાન માટી છે. ક્ષેત્રષ્ટિએ રાજનગરમાં બનેલો છે. કાળષ્ટિએ એ ઘડો હમણાં વર્તમાનકાળમાં બનેલો છે, નવો છે. ભાવષ્ટિએ ઘડો લાલ છે, સુંવાળો છે, પાણી ભરવાનો છે...વગેરે આ બધા ઘડાના સ્વપર્યાય કહેવાય.
હવે ઘડાના પર-પર્યાયનો વિચાર કરીએ. જેમ દ્રવ્યાદિ દૃષ્ટિએ ‘ઘડે અમુક અમુક સ્વરૂપ છે.' એમ કહેવાય એમ પર દ્રવ્ય, પર ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ ઘડા અમુક રૂપે નથી' એમ પણ કહેવાય છે.
For Private And Personal Use Only