________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
પ્રશમરતિ કરી, ઓછા પાપવાળી વસ્તુઓના ભોગ માટે પરિમાણ નક્કી કરવું તે આ ૧૧ મું વ્રત છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે :
* કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતન પદાર્થનો આહાર ન કરવો.
ક ઠળિયા, ગોટલી આદિ અચેતન પદાર્થથી યુક્ત ફળોનો આહાર ન કરવો.
તલ, ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનો આહાર ન કરવો. તેમ જ કીડી, કુંથુઆથી મિશ્રિત વસ્તુનું ભોજન ન કરવું. આ દારૂ વગેરે માદક દ્રવ્યોનું સેવન ન કરવું.
અધકચરું રાંધેલું, બરાબર નહીં રાંધેલું ભોજન ન કરવું. ૧૨. અતિથિ-સંવિભાગ દ્વત: ન્યાયથી પેદા કરેલું અને સાધુ-સાધ્વીને ખપે તેવી ખાનપાનાદિ યોગ્ય વસ્તુઓનું, ઉભય પક્ષને લાભ થાય એવી રીતે, શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રમાં આપવું-તેનું નામ અતિથિ સંવિભાગ વ્રત, આ વ્રત૧. પૌષધવ્રતના પારણાના દિવસે કરાય. ૨. સાધુ-સાધ્વીના નિમિત્તે બનેલું ભોજન ન જોઈએ. ૩. ઘરે આવેલા સાધુઓને આદરપૂર્વક ભોજનાદિ આપવાનાં. ૪. સાધુને જે ન આપ્યું હોય તે દ્રવ્ય પોતે ન ખાય, આ વ્રતના ધારકે નીચેની સાવધાની રાખવાની છે :
ક ખાનપાનનાં દ્રવ્યો સાધુને ન આપવાં પડે એવી બુદ્ધિથી એ દ્રવ્યોને સચિત્ત વસ્તુની ઉપર કે અડાડીને મૂકશો નહીં.
ક આપવાનાં દ્રવ્યો ઉપર સચિત્ત વસ્તુ મૂકીને ઢાંકશો નહીં. કે “આ વસ્તુ મારી નથી, પારકાની છે,' એવું અસત્ય બોલશો નહીં. અનાદરથી દાન ન દેશો. બીજાની ઈર્ષાથી પ્રેરાઈને દાન ન દેશો.
સાધુ આવશે તો મારે આપવું પડશે.” એવી ભાવનાથી પ્રેરાઈને, ભિક્ષાના સમય પૂર્વે ખાઈ-પી લેશો નહીં.
આ રીતે શુભ ભાવનાઓમાં રમતો સહસ્થ બાર વ્રતોનું સુંદર પાલન કરે અને પોતાની આર્થિક-શક્તિ મુજબ જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરે. સ્વજન-પરિવારની સાથે, ગીત-વાજિંત્રોના નાદ સાથે.. નૃત્યકારોનાં નૃત્ય સાથે. હૃદયના ઊછળતા ઉમંગ સાથે તે પ્રતિષ્ઠા કરે. આ પ્રસંગે, જિનશાસનની
For Private And Personal Use Only