________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
* ભાંડ જેવી શારીરિક કુચેષ્ટાઓ ન કરવી.
* નિર્લજ્જપણે અસંબદ્ધ બોલવું નહીં.
* શસ્ત્ર, અગ્નિ વગેરે પાપસાધનો બીજાને આપવાં નહીં.
* આવશ્યકતા કરતાં વધારે કપડાં, ઘરેણાં, તેલ, ચંદનાદિ રાખવાં નહીં. ૯. સામાયિક વ્રત : અમુક સમય સુધી [બે ઘડી=૪૮ મિનિટ)પાપ-પ્રવૃત્તિનો ત્યાગ કરી પ્રતિજ્ઞાપૂર્વક [રેમિ ભંતે! સૂત્ર દ્વારા, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવું, તેને સામાયિક વ્રત કહેવાય. આ વ્રત મોટા ભાગે ચૈત્યાયતનમાં કે સાધુ પાસે કરવાનું હોય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની હોય છે : * હાથ, પગ વગેરે અંગોનું નકામું હલન-ચલન ન કરવું. * અર્થહીન, સંસ્કારહીન હાનિકારક ભાષા ન બોલવી.
* ક્રોધાદિ વિકારોને વશ થઈ ખોટા વિચારો ન કરવા.
૫૦૫
* કંટાળવું નહીં, જેમ તેમ પ્રવૃત્તિ ન કરવી.
* એકાગ્રતા રાખવી, ચિત્તને સ્થિર રાખવું. ‘હું સામાયિકમાં છું.' તે યાદ રાખવું.
૧૦. પૌષધ વ્રત : આઠમ-ચૌદસ-પૂનમ વગેરે પર્વતિથિના દિવસોમાં, પ્રતિજ્ઞાપૂર્વક ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો પૌષધ કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો, શરીરની વિભૂષાનાં ત્યાગ કરવો, વ્યાપારનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું-આ ચાર પ્રકારનું પૌષધવ્રત હોય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે :
* કોઈ જંતુ છે કે નહીં, એ આંખથી જોઈને કે કોમળ ઉપકરણથી [ચરવાળાથી પ્રમાર્જન કરીને, મળ-મૂત્ર...શ્લેષ્મ વગેરે ત્યાગવાં જોઈએ.
* જોઈને, પ્રમાર્જીને લાકડી, બાજઠ વગેરે મૂકવાં-લેવાં.
* જોઈને, પ્રમાર્જીને આસન પાથરવું કે સંથારો પાથરવો. ♦ ઉત્સાહથી યોગ્ય પ્રવૃત્તિ કરવી.
For Private And Personal Use Only
* ‘હું પૌષધમાં છું, ૪, કે ૮ પ્રહરો મારે પૌષધ છે...' વગેરે યાદ રાખવું. ૧૧. ઉપભોગ-પરિભોગ-પરિણામ વ્રત : પુષ્પ, ધૂપ, સ્નાન, વિલેપન વગેરે ઉપોગ કહેવાય. વસ્ત્ર, શયન વગેરે પરિભોગ કહેવાય. ભોજનની અપેક્ષાએ અશન-પાન-ખાદ્ય-સ્વાઘરૂપ ઉપભોગ છે, તાત્પર્ય એ છે કે જેમાં ઘણાં- જ પાપનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણ વગેરેનો ત્યાગ