________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૪
પ્રશમરતિ આ વૃક્ષ, પહાડ વગેરે ઉપર ચડવામાં કે પ્લેનમાં મુસાફરી કરવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી, લોભાદિથી મર્યાદા તોડવી ના જોઈએ.
એ નીચે ભોંયરામાં...કૂવા વગેરેમાં ઊતરવાનું પ્રમાણ નક્કી કર્યા પછી મર્યાદા ન તોડવી.
* તીરછા જવાનું મોટરથી, રેલવેથી કે પગે ચાલીને પ્રમાણ, માઈલ, કિલોમીટર વગેરે] નક્કી કર્યા પછી અતિક્રમણ ન કરવું જોઈએ.
જુદી જુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા પછી, ઓછા પ્રમાણવાળી દિશામાં ખાસ પ્રયોજન ઊભું થાય ત્યારે, બીજી દિશામાં સ્વીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી, ઇષ્ટ દિશામાં વધારો કરવો ન જોઈએ.
* પ્રમાદથી કે મોહથી લીધેલા વ્રતનું સ્વરૂપ અને મર્યાદા ભૂલી ન જવાય, તેની કાળજી રાખવી જોઈએ.
૭. દેશાવકાશિક વ્રત : હંમેશ માટે દિશાઓમાં જવાની મર્યાદા નિશ્ચિત કરેલી હોય, છતાં એ મર્યાદામાં રહીને, વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિણામ નક્કી કરવું અને તેની બહારનાં પાપકાર્યોથી નિવૃત્તિ લેવી તેનું નામ દેશાવકાશિક વ્રત. આ વ્રતના ધારકે નીચેની સાવધાની રાખવી જોઈએ.
જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂર પડે ત્યારે પોતે તો ન જવું, પરન્તુ સંદેશા આદિ દ્વારા બીજા પાસે પણ તે વસ્તુ ન મંગાવવી.
નોકર આદિને હુકમ કરીને ત્યાં બેઠાં-બેઠાં પણ કામ ન કરાવી લેવું જોઈએ.
નિશ્ચિત કરેલી મર્યાદા બહાર રહેલા કોઈને બોલાવીને કામ કરાવવા ખાંસી વગેરેના શબ્દોચ્ચાર ન કરવા જોઈએ. આ શબ્દ તો નહીં, ઇશારાથી જુદી જુદી શરીરની આકૃતિ પણ ન બોલાવાય.
કાંકરા વગેરે ફેંકીને પણ પોતાની પાસે આવવાની સુચના ન અપાય. ૮. અનર્થદંડવિરતિ વ્રત : પ્રયોજનનો અભાવ તે અનર્થ. પ્રયોજન વિના પોતાનો આત્મા દંડાય, તે અનર્થદંડ કહેવાય. પોતાના ભાગરૂપે પ્રયોજનથી જે પાપ-વ્યાપાર થાય તે સિવાયનાં બધાં પાપ-વ્યાપાર અનર્થદંડ કહેવાય. તેની નિવૃત્તિ લેવી, તે આઠમું વ્રત છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે.
અસભ્ય ભાષણ ન કરવું, પરિહાસ મિશકરી ન કરવો.
For Private And Personal Use Only