________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્મા અહીં કેમ ના રહે?
त्यक्त्वा शरीरवन्धनमिहैव कर्माष्टकक्षयं कृत्वा ।
न स तिष्ठत्यनिबन्धादनाश्रयादप्रयोगाच्च ।। २९.२ ।।
અર્થ : શરીરનું બંધન ત્યજીને અને આઠ કર્મોનો ક્ષય કરીને તે|મુક્તાત્માઅે અહીં જ રોકાતો નથી, કારણ કે રોકાવાનું કોઈ કારણ હોતું નથી, આશ્રય હોતો નથી, કાંઈ વ્યાપાર [ક્રિયા| હોતો નથી.
વિષેપન : ‘જે આત્માનાં સ્થૂલ કે સૂક્ષ્મ...બધાં શરીર નાશ પામ્યાં અને આઠેય કર્મો નાશ પામ્યાં, તે આત્મા અહીં મનુષ્યલોકમાં રહેતો નથી.' આ સિદ્ધાન્ત સાંભળીને કે વાંચીને તત્ત્વાનુપ્રેક્ષા કરનારા મનુષ્યમાં જિજ્ઞાસા પ્રગટે છે : ‘એ આત્મા અહીં મનુષ્યલોકમાં કેમ ન રહે? એ અહીં રહે તો અન્ય જીવાત્માઓના આધ્યાત્મિક વિકાસમાં આલંબન બની શકે ને?' આ જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગ્રન્થકાર, અશરીરી અને નિષ્કર્મા આત્મા અહીં નથી રહી શકતો, તેનાં ત્રણ કારણ બતાવે છે :
૧. એ આત્માને અહીં મનુષ્યલોકમાં રોકાવાનું કોઈ પ્રયોજન હોતું નથી. અશરીરી બની જવાથી, અન્ય જીવો માટે પ્રગટરૂપે તો આલંબન બની શકે નહીં. સૂક્ષ્મરૂપે આલંબન બની શકે, પરંતુ તે તો સિદ્ધશિલા પર રહેલા મુક્તાત્માઓ પણ બની શકે છે.
૨. આત્મા જ્યારે આઠ કર્મોથી મુક્ત બને છે ત્યારે તે નીચે નથી રહી શકતો...એનો સ્વભાવ જ ઊર્ધ્વગમનનો હોય છે જેમ એક તુંબડા ઊપર માટીના આઠ લેપ કરવામાં આવે અને તે સુકાઈ જાય પછી તેને સરોવરમાં નાંખવામાં આવે, તો તે સરોવરના તળિયે જઈને બેસે છે; પછી જેમ જેમ માટીના લેપ ઊતરતા જાય છે તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય છે. બધા જ લેપ દૂર થઈ જતાં પાણીની સપાટી પર આવી જાય છે. આ જ રીતે, આત્મા ઉપરથી આઠ કર્મોના લેપ દૂર થઇ જતાં આત્મા ચૌદ રાજલોકની સપાટી ૫૨ [અગ્રભાગે] પહોંચી જાય છે, મનુષ્યલોકમાં ન રહી શકે.
૩. આત્માની એવી કોઈ ક્રિયા હોતી નથી કે જે ક્રિયાની અપેક્ષાએ મુક્તાત્માનું અહીં મનુષ્યલોકમાં અધિષ્ઠાન કલ્પી શકાય. ક્રિયા કરવા માટે મન-વચન१६०. अकर्मणः सिद्धस्य गतिरितो लोकान्तं पूर्वप्रयोगेण हेतुना तत्स्वाभाय्यात् । कथमेतदेवप्रतिपत्तव्यम् ? अलाबुप्रभृतिज्ञाततः, अष्टमृल्लेपलिप्तजलक्षिप्ताधोनिमग्नतदपगमोर्ध्वगमनस्वभावालाबुवत् । - पञ्चसूत्र- टीकायाम
For Private And Personal Use Only