________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ?
૪૮૭ કાયાના યોગ જાઈએ, મુક્તાત્માના તો સર્વ પોગો નાશ પામી ગયા હોય છે. યોગરહિત આત્માની સ્વાભાવિક કિયા તો માત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ હોય છે. આ ક્રિયા માટે તેને સંસારમાં રહેવું જરૂરી હોતું નથી. આ
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ? नाधो गौरवविगमादशक्यभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं प्लवक इवोपग्रहाभावात् ।।२९३ ।।
योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति। सिद्धस्योर्ध्व मुक्तस्यालोकान्ताद् गतिर्भवति ।।२९४ ।।
पूर्वप्रयोगसिद्धर्वन्धच्छेदादसंगभावाच्च । गतिपरिणामाच्च तथा सिद्धस्योर्ध्वं गति: सिद्धा ।।२९५।। અર્થ : ગુરતા ભાર-વજન નાશ પામવાથી, અશક્ય ભાવના કારણે તે નીચે જતો નથી. ઉપગ્રહકારી (ધર્માસ્તિકાયના અભાવે લોકાન્તની ઉપર પણ જતો નથી, જહાજની જેમ.
યોગ અને ક્રિયાનો અભાવ હોવાથી મુક્તાત્મા તીર્થો પણ જતો નથી, માટે મુક્ત બનેલા સિદ્ધાત્માની લોકાન સુધી જ ઊર્ધ્વગતિ થાય છે.
આ રીતે પૂર્વપ્રયોગ સિદ્ધ હોવાના કારણે, કર્મબંધનો નાશ થવાના કારણે, અસંગભાવ હોવાના કારણે અને ઊર્ધ્વગમનનો સ્વભાવ હોવાના કારણે સિદ્ધ આત્માની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.
વિવેવન : કર્મોથી અને શરીરોથી સર્વથા મુક્ત થયેલો આત્મા નીચે કેમ નથી જતો, તેનાં કારણ બતાવવામાં આવ્યાં છે : ૧. વજનરહિતતા : ૨. અશક્ય ભાવ :
એક એવો સર્વસામાન્ય નિયમ છે કે વજનવાળો પદાર્થ સ્વત: નીચે જાય છે; અને વજનરહિત પદાર્થ સ્વતઃ ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે આત્મા શરીરથી મુક્ત થાય છે અને કર્મોથી મુક્ત થાય છે ત્યારે તે વજનથી પણ મુક્ત થાય છે. વજન હોય છે શરીરનું, વજન હોય છે કમનુંદરેક પુદ્ગલ દ્રવ્યમાં વજન હોય જ. શુદ્ધ આત્મદ્રવ્ય વજન વિનાનું હોય છે એટલે તેની સહજભાવે ઊર્ધ્વગતિ થાય છે. અલબત્ત, પૂર્વે (ત્રીજા શુક્લધ્યાનમાં) એને ધક્કો તો લાગેલો હોય જ છે, દેથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વગતિ કરે છે.
For Private And Personal Use Only