________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૈલેશી-અવસ્થા
૪૭૧
કોઈ ક્રિયા! એ વખતે આત્માની કેવી સ્થિતિ હોય છે...તેનું દર્શન ગ્રન્થકાર કરાવે છે...બે વિશેષતાઓ બત્તાવે છે :
* અપરિમિત નિર્જરા
* સંસાર-સાગરનો કિનારો
અલબત્ત, છેલ્લી ૭૨+૧૩ મિતાન્તરે ૭૩+૧૨] કર્મપ્રકૃતિ હજુ છે આત્માની સાથે! કર્મબદ્ધ છે આત્મા...છતાં તે કર્મોની નિર્જરા થવાની નિશ્ચિત હોવાથી...અને બહુ જ થોડા સમર્યામાં ભવસાગરના કિનારે [સિદ્ધશિલા પર} ઊતરી જવાનું હોવાથી ભગવાન ઉમાસ્વાતિ ‘આ તો તીરે પહોંચી જ ગયા!’ એમ બોલી ઊઠે છે.
તેનું
શેષ ૮૫ કર્મોની નિર્જરા ક્યારે અને કેવી આત્મસ્થિતિમાં કરે છે, સ્પષ્ટ વર્ણન કરતાં ગ્રન્થકાર કહે છે :
શૈલેથી-અવસ્થા
ईषद्ह्रस्वाक्षरपञ्चकोद्गिरणमात्रतुल्यकालीयाम् ।
संयमवीर्याप्तवलः शैलेशीमेति गतलेश्यः ||२८४ ।।
અર્થ : સંયમ અને વીર્યથી પ્રાપ્ત કરેલા બળવાળા અને અલેશી કેવળજ્ઞાની કંઈક પાંચ હ્રસ્વાક્ષર |ઙ ય ન ન મ...! ના ઉચ્ચારણ કાળ-પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે.
વિવેચન : ચૌદમા ગુણસ્થાનકે કોઈ લેશ્યા રહેતી નથી! યોગ નહીં તો લેશ્યા નહીં! આત્મા અલેશી-લેયારહિત હોય છે. છેલ્લા ગુણસ્થાનકે...ન યોગ, ન લેશ્યા! ન કર્મનો બંધ! માત્ર કર્મોની નિર્જરા જ નિર્જરા!
ત્યાં હોય છે ‘વ્યુપરતક્રિયા-અનિવર્તી' નામનું ચોથું શુક્લધ્યાન અને ત્યાં હોય છે આત્માના અનન્ત વીર્યમાંથી અને શ્રેષ્ઠ સંયમમાંથી પ્રગટેલું અનુત્તર બળ! આવો આત્મા ત્યાં ‘શૈલેશી-અવસ્થા’ને પ્રાપ્ત કરે છે...આ શૈલેશી-અવસ્થાનો કાળ એટલો જ હોય છે જેટલો કાળ ઙ ચ ળ + મેં આ પાંચ હ્રસ્વાક્ષર બોલતાં લાગે શૈલેષી : વ્યુત્પત્તિ અર્થો :
167
१४१. सेलेसी किल मेरू, सेलेसी होई जा तहाऽचलया । होउं व असेलेसी सेलेसी हाई थिरयाए ||३०६५ || अहवा सेलोव इसी सेलेंसी होई सोऽतिथिरयाए । से व अलेसी होई सेलेसी होयाऽलोवाओ ||३०६६ ।। सीलं व समाहाणं निच्छयओ सव्वसंवरो सोय । तस्सेसो सीलेसो सेलेसी होई तदवत्था | | ३०६७ ।।
For Private And Personal Use Only