________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવગાહના ઘટે છે
चरमभवे संस्थानं यादृग् यस्योच्छ्रयप्रमाणं च । તસ્માત્ ત્રિમાદીનાવા-સંસ્થાનરિાદ: ||૨૮૨||
અર્થઃ છેલ્લા ભવમાં જેનું જેવું સંસ્થાન [આકાર અને ઊંચાઈ હોય તેનાથી ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે.
પ્રશમતિ
વિવેધન : આત્મા શરીરવ્યાપી છે.
જેટલું પ્રમાણ શરીરનું હોય, એ શરીરમાં રહેલા આત્માનું પ્રમાણ પણ તેટલું જ હોય. એટલે, શરીરના જે આકાર અને ઊંચાઈ તે જ આત્માનાં આકાર અને ઊંચાઈ, કેવળજ્ઞાની માટે પણ આ જ નિયમ હોય છે; પરન્તુ શરીરના નાક, કાન, મુખ, પેટ વગેરે ઘણા ભાગ ખાલી હોય છે. તે ખાલી ભાગોમાં આત્મપ્રદેશો નથી હોતા. કેવળજ્ઞાની જ્યારે ‘કાયયોગ’ નો નિરોધ કરે છે ત્યારે, ‘સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' ધ્યાન દ્વારા, શરીરના તે ખાલી ભાગો ઘનીભૂત થઈ જાય છે, અર્થાત્ શરીર સંકોચાય છે. એની સાથે આત્મપ્રદેશો પણ શરીરને અનુરૂપ બને છે. શરીરની આકૃતિ અને ઊંચાઈ, ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે, ઘટી જાય છે, શરીરના પોલા ભાગ રહેતા નથી.
આ ક્રિયા પૂર્ણ થતાં કાયયોગના નિરોધની ક્રિયા પૂર્ણ થાય છે. ‘સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી' ધ્યાન પણ પૂર્ણ થાય છે.
ચરમ શરીરની આકૃતિ અને ઊંચાઈનો ત્રીજો ભાગ ઘટતાં જે આકૃતિ અને ઊંચાઈ રહે છે, તે જ આકૃતિ અને ઊંચાઈ આત્માની રહે છે. મોક્ષમાંસિદ્ધાવસ્થામાં પણ આત્મપ્રદેશોની અવગાહના એ મુજબ જ રહે છે.
सोऽथ मनोवागुच्छ्वासकाययोगक्रियार्थविनिवृत्तः । अपरिमितनिर्जरात्मा संसारमहार्णवोत्तीर्णः ।। २८३ ।।
અર્થ : મનોયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને કાયયોગના નિરોધની ક્રિયાથી નિવૃત્ત થયેલ તે આત્મા કર્મોની અપરિમિત નિર્જરા કરે છે અને સંસારરૂપ મહાસાગરને તરી જાય છે.
For Private And Personal Use Only
:
વિવેપન : ભલે, હજુ આત્મા તેરમા ગુણસ્થાનકના ચરમ સમયમાંથી...ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે...નથી રહી હોતી કોઈ મનની ક્રિયા કે વચનની ક્રિયા...નથી રહી હોતી શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા કે નથી રહી હોતી શરીરની