________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રશમરતિ જ વૈભવ હોવો જોઈએ, બીજા પાસે નહીં. હું જ વૈભવશાળી રહું...”તો સમજી લેવું કે ઈર્ષ્યાના રૂપે, જે તમને ભરડો દીધો છે!
(૨) રોષઃ રોષ એટલે ક્રોધ, ભલે ક્રોધકષાયરૂપ મોહનીય કર્મના ઉદયથી તમને ક્રોધ આવતો હોય, પરંતુ તેનાં અમુક બાહ્ય નિમિત્ત હોય છે; જેમ કે, મનુષ્ય સૌભાગ્યશાળી છે, એનું જો એને અભિમાન છે, એ દુર્ભાગ્યના ભોગ. બનેલા પ્રત્યે ક્રોધ ઠાલવશે! સ્વયં રૂપવાન છે, એને ગર્વ છે, તો બીજાઓ તરફ ક્રોધ કરશે. સ્વયં લોકપ્રિય છે, એનું એને અભિમાન છે, વાતવાતમાં ક્રોધ કરશે! આવા તો બીજાં અનેક નિમિત્ત હોય છે કે જેથી જીવાત્મા ક્રોધ કરતો હોય છે.
(૩) દોષ ? આ એવી મલિન વૃત્તિ છે કે જે મનને દૂષિત-મલિન કરે છે. (૪) દ્વેષ : અપ્રીતિ, બહારથી જોનારને ન દેખાય, પરંતુ હૃદયમાં અપ્રીતિ હોય, અણગમો હોય.
(૫) પરિવાદ : પરદોપોનું ઉત્કીર્તન! બીજા જીવોના દોષ જોવા અને બોલવા એ પરિવાદ છે. ભલે પછી એ મીઠીભાષામાં બોલતો હોય, ઠાવકો બનીને બોલતો હોય. એ છે દ્વેષ, એ છે પરિવાદ. આ કેપ રોગથી ઘેરાયેલો જીવ એ માનવા પણ તૈયાર નથી હોતો કે હું આ હેપ કરી રહ્યો છું!'
() મત્સર : બીજાનું સારું જોઈ જ ન શકે. બળ્યા જ કરે! અને પછી પોતાની જાત ઉપર જ ધિક્કાર વરસાવે, પોતે જ પોતાનો તિરસ્કાર કરે!
(૭) અસૂયા : આ લેપનું રૂપ એવું છે કે એ કોઈને ક્ષમા જ ન આપવા દે! અસૂયાવાળો જીવ ક્ષમાધર્મનું પાલન કેવી રીતે કરે? એને ક્ષમા ગમે જ નહીં.
(૮) વૈર : આ વેરની વૃત્તિ જન્મે છે પરસ્પરના કલહમાંથીવરની ગાંઠ પનું એક ખતરનાક રૂપ છે.
(૯) પ્રચંડનઃ પ્રકૃષ્ટ કોપ તે પ્રચંડન. શાન્ત થઈ ગયેલ કોપાગ્નિને પ્રજવલિત કરે.
એક જ અર્થનું પ્રતિપાદન કરનારા આ શબ્દો, છે તો બધા પર્યાયો જ; અંતર છે માત્ર સ્વરોનું અને અક્ષરોનું પ્રતિપાદનનો વિષય છે કંપ! વિભિન્ન રૂપોમાં અહીં દ્વેષને ઓળખીને એનો ક્ષય, એનો નાશ કરવા પ્રયત્નશીલ બનીએ. વૈષને ઓળખ્યા વિના એનો નાશ કેવી રીતે કરાય?
પરંતુ એક વખત સાંભળો. તમારે આ Àપના પાપને ધીબી નાંખવું છે? તે માટે તમારે વીંખાઈ-પીંખાઈ ગયેલા તમારા મનોબળને પુનઃ ચેતનવંતુ કરવું
For Private And Personal Use Only