________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષના પર્યાય કયારેક બીજા પાસે રહેલા વિષયો “આ વિષયો મને મળે, એવી અભિકાંક્ષાઓમાં ખોવાઈ જાય છે તો ક્યારેક “આ મારું.... આ મારું. એનો માલિક....' આ મમત્વમાં તણાઈ જાય છે.
મારાપણાનો રાગ તો સાચે જ પ્રચંડ આગ છે. સ્વજનો સાથેના સંબંધો તાડી નાંખ્યા, પરિજનાં પરનું મમત્વ છેદી નાંખ્યું, વૈભવ અને સંપત્તિનો રાગ રોળી નાંખ્યાં.... છતાંય શરીર પરનું મમત્વ આત્માને હંફાવી નાંખે છે... આત્માને પછાડી દે છે. કંડરિક મુનિનું સાતમી નરકમાં થયેલું પતન કોને આભારી હતું? શરીરનું મમત્વ! તોડેલાં મમત્વ ફરી જોડ્યાં!
અને જ્યારે ઇષ્ટ વસ્તુ મળી જાય છે, ત્યારે આત્મા કેવો હર્ષથી નાચી ઊઠે છે! રાજીનો રેડ થઈ જાય છે! અરે, પોતાની જાતને વૈરાગી સમજતો મનુષ્ય જ્યારે ઇષ્ટ પદાર્થ, ઈષ્ટ કાળ, ઇષ્ટ ક્ષેત્ર મળી જાય છે ત્યારે કેવો પરિતોષ અનુભવે છે? એને ખબરે ય પડતી નથી કે “મારા ઘરમાં રાગ-શત્રુ ઘૂસી ગયો!" પ્રિય પદાર્થોની પ્રાપ્તિનો હર્ષ અનુભવે છે છતાં માને છે કે હું તો વૈરાગી છું!
વળી અનુકૂળ પ્રિય વિષયોની પ્રાપ્તિના મનોરથ કેટલા? ભૌતિક સુખની કલ્પનાઓ કેટલી? સુખોની નિઃસીમ કલ્પનાઓના અનન્ત આકાશમાં સતત ઊડતાં રહેતો જીવાત્મા કેવી રીતે વૈરાગ્યભાવને પુષ્ટ કરે?
વૈરાગ્યભાવનાને પુષ્ટ કરવી છે ને? તો થોભી જાઓ. રાગની આ સર્વભક્ષી ઘાતક વૃત્તિઓને ખુબ સારી રીતે સમજી લો; એ વૃત્તિઓનો નાશ કરવા માટે મનોમન દઢ સંકલ્પ કરો. તાં જ તમે વૈરાગ્ય ભાવનાને દઢ કરી શકશો.
દ્વેષના પર્યાય ईर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरासूयाः।
वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ।।१९।। અર્થ : (૧) ઈર્ષા (૨) રાપ (3) દોષ (૪) હેપ (પ) પરિવાદ (૬) મત્સર (૭) અસૂયા (૮) વેર (૯) પ્રચંડન વગેરે બીજા પણ ઘણા દેપના પર્યાય છે.
વિવેચન : આ છે દેશના પર્યાયવાચી શબ્દો, હેપનાં વિભિન્ન રૂપ, પની જુદી જુદી વૃત્તિઓ.
(૧) ઈર્ષ્યા : તમે જ્યારે બીજા મનુષ્યનો વૈભવ, એની સંપત્તિ જુઓ છો ત્યારે તમને કેવો વિચાર આવે છે? શું તમને એમ થાય છે કે “આની પાસે આટલો બધો વૈભવ? આની પાસેથી વૈભવ ચાલ્યો જાય તો સારું! મારી પાસે
For Private And Personal Use Only