________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રશમતિ
વિવેચન : કેવળજ્ઞાનીનું ‘આયુષ્યકર્મ' નિરૂપક્રમ હોય છે. આયુષ્ય કર્મને ઘટાડવા ગમે તેટલા પ્રયત્ન કરે છતાં તે ન ઘટે. જેટલું આયુષ્યકર્મ બાંધ્યું હોય, તેટલું ભોગવવું જ પડે. જ્યારે, જે જીવોનું આયુષ્યકર્મ સોપક્રમ હોય છે, તેમનું આયુષ્યકર્મ વિશેષ પ્રયત્ન દ્વારા ઘટાડી શકાય છે.
જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્ય સાથે વિશેષ સંબંધ નથી હોતો, પરંતુ વેદનીય, નામ અને ગોત્ર કર્મોનો આયુષ્યકર્મ સાથે ગાઢ સંબંધ હોય છે. વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યકર્મ પર નિર્ભર હોય છે. આયુષ્યની સમાપ્તિ સાથે વેદનીયાદિની સમાપ્તિ થઈ જાય છે. એટલે જેટલી સ્થિતિ [વર્ષ] આયુષ્ય કર્મની હોય, એટલી જ સ્થિતિ વેદનીયાદિ ત્રણ કર્મોની હોવી જોઈએ.
પરન્તુ, નિયમ એવો નથી કે જીવ જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ બાંધે છે, જેટલાં વર્ષોથી બાંધે છે, એટલાં જ વર્ષોની સ્થિતિ વેદનીયાદિ કર્મોની બાંધે! વધારે પણ બાંધી હોય! તો શું કરવાનું?
જે જીવોનો પુનર્જન્મ થવાનો હોય, તે જીવો માટે તો પ્રશ્ન રહેતો નથી. કારણ કે જે વૈદનીયાદિ કર્મો ભોગવ્યા વિનાનાં રહી ગયાં હોય [આયુષ્ય સમાપ્ત થઈ ગયું હોય અને વેદનીયાદિ કર્મો શેષ રહી ગયાં હોય! તે બીજા આગામી જન્મોમાં ભોગવી શકાય છે. પરન્તુ જે જીવાનો પુનર્જન્મ ન થવાનો હોય, મોક્ષ થવાનો હોય અને વેદનીયાદિ ત્રણ કર્મો વેદનીયાદિ શુક્લધ્યાનમાં બળી શકતાં નથી અને એ કર્મોને મોક્ષમાં સાથે લઈ જઈ શકાતાં નથી!
એટલે, કેવળજ્ઞાની મહાત્માઓએ વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને, આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી જ સ્થિતિ કરવી પડે. હા, વિશેષ પ્રયોગ દ્વારા વંદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ ઘટાડી શકાય છે, એ પ્રયોગ બીજા કોઈ જીવો નથી કરી શકતા, માત્ર કેવળજ્ઞાની જ કરી શકે છે, એ પ્રયોગ કરવાની ક્ષમતાસામર્થ્ય માત્ર કેવળજ્ઞાનીમાં જ હોય છે :
ગ્રન્થકાર મહાત્મા આ વાત કહે છે.
यस्य पुनः केवलिनः कम भवत्यापो ऽतिरिक्ततरम् । स समुद्घातं भगवानथ गच्छति तत् समीकर्तुम् ।।२७३ ।।
અર્થ : જે કેવળજ્ઞાનીને આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિનાં વંદનીયાદિ કર્મ હોય છે
તે
ભગવાનું વંદનીયાદિ ત્રણને આયુષ્યકર્મ-સમાન કરવા ‘સમુદ્ધાત’ કરે છે. વિષેશ્વન : ટીકાકાર આચાર્યદેવ ‘સમુદ્ધાત’ની પરિભાષા આ પ્રમાણે કરી છે :
For Private And Personal Use Only