________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
કેવળી-સમુદ્યાત
સ-૩પૃષ્ઠ -મને સમુધાત 1' આત્માનું ઉત્કૃષ્ટ ગમન લિકિવ્યાપી તેનું નામ સમુદ્ધાતઃ વ્યાખ્યાન વિસ્તારથી સમજીએ.
સમુદ્ધાત, આગમોમાં સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧. વેદનીય, ૨. કષાય, ૩. મરણાત્તિક, ૪. વૈક્રિય, ૫. તેજસ ૬. આહારક, અને ૭. કેવળી. આમાં પહેલા છ સમુદ્યાત છબસ્થ આત્મા કરી શકે છે. આ છ સમુદ્રઘાતનાં પુદ્ગલ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની વાત કરે છે, ઘર્ષણ કરે છે, સંઘટ્ટ કરે છે, પરિતાપ ઉપજાવે છે, ઉપદ્રવ કરે છે, કિલામણા ઉત્પન્ન કરે છે. જેના શરીરમાંથી આ પુદ્ગલો નીકળે છે તેને ત્રણ, ચાર કે પાંચ ‘ક્રિયા' પણ લાગે છે.
પરન્તુ, કેવળી-સમુદ્ધાતમાં તો, કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મપ્રદેશો બહાર નીકળે છે; શરીરનો ત્યાગ કર્યા વિના! એ આત્મપ્રદેશો જ્યારે શરીરની બહાર નીકળે છે ત્યારે જુદી જુદી આકૃતિઓ રચાય છે અને વિખરાય છે! ગ્રન્થકારે બે કારિકામાં કેવળી-સમુદ્દઘાતનું વર્ણન કર્યું છે :
दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये। मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु ।।२७४ ।।
संहरति पंचमे त्वन्तराणि मन्थानमध पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ।।२७५ ।। અર્થ : પહલા સમય દંડ, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયમાં મંથાન રિવૈય|. અને ચોથા સમયે લોકવ્યાપી બને છે.
પાંચમા સમયે મન્થાનના અત્તરાલના પ્રદેશોને સંહરે છે, સિંકોચે છઠ્ઠા સમયે મંથાનને સંહરે છે. સાતમા સમયે કપાટન અને આઠમા સમયે દેવને સંહરે છે.
વિવેચન : કેવળજ્ઞાની, જ્યારે પોતાનું આયુષ્ય એક અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે આ “સમુદ્ધાત'નો વિશેષ પ્રયોગ કરે છે. આ પ્રયોગમાં કર્મબંધ નથી થતો, પરન્તુ કર્મોની નિર્જરા થાય છે. માત્ર આઠ સમયનો જ આ સમુદ્રઘાતનો અદભુત પ્રયોગ હોય છે!
પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ પહોળો અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ ઊંચો, પોતાના આત્માની દંડાકૃતિ બનાવે.
બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટાકૃતિ બનાવે.
૧૨૯, “સમુદ્યાત માટે જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only