________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
પ્રશમરતિ ૮. કેવળજ્ઞાન અપ્રતિહત હોય છે. આ જ્ઞાનની આડે કોઈ પૃથ્વી, પર્વત...સમુદ્ર આવતા નથી.
કેવું અપૂર્વ હોય છે કેવળજ્ઞાની આત્મામાં આ જ્ઞાન પડેલું હોવા છતાં, આવારક કર્મોના દુગ્ધભાવથી જીવાત્મા કેવા ઘોર અજ્ઞાનમાં અથડાય છે? વીતરાગ બન્યા વિના કેવળજ્ઞાની બની શકાતું નથી.
એનો તાત્પર્યાર્થ એ છે કે જેમ જેમ રાગ-દ્વેષ ઘટતા જાય, તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ વધતો જાય. સંપૂર્ણ રાગ-દ્વેષ નષ્ટ થઈ જાય એટલે પૂર્ણ જ્ઞાનનો શાશ્વત પ્રકાશ આત્મામાં પ્રગટી જાય. એ પ્રકાશ લોકવ્યાપી-અલકવ્યાપી બની જાય.
લોકમાં ૧૪ રાજલોકમાં રહેલા અને અલોકમાં [૧૪ રાજ લોકની બહારનો અનન્ત લોક] રહેલાં સર્વ દ્રવ્યોને કેવળજ્ઞાની જાણે છે અને જુએ છે. સવ 'દ્રવ્યોના સર્વપર્યાયોને જાણે છે અને જુએ છે. ભૂતકાળના પર્યાયોને ભૂતકાલીન તરીકે, વર્તમાનકાળના પર્યાયોને વર્તમાનકાલીનરૂપે અને ભવિષ્યકાળના પર્યાયોને ભવિષ્યકાલીનરૂપે જાણે છે ને જુએ છે. એક-એક દ્રવ્યને એના અનન્ત પર્યાયોથી જાણે છે ને જુએ છે!
ચાર કર્મોનો સમૂળ નાશ કરનારા અને ચાર કર્મોનો અનુભવ કરતા કેવળજ્ઞાની આ પૃથ્વી પર, ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા વિચરે છે. ઓછામાં ઓછો સમય એક મુહુર્તનો હોય છે અને વધુમાં વધુ એક કોડ પૂર્વ વર્ષ આઠ વર્ષ ઓછા) નો સમય હોય છે.
“મુહૂર્ત' “પૂર્વ' આ કાળના માપના શબ્દો છે. જેનાગમોમાં કાળનાં-માપનાં નામ જુદાં છે.
સૌથી ઓછા કાળને “સમય” કહેવામાં આવ્યો છે. અસંખ્ય સમય=૧ આવલિકા. ર૫૬ આવલિકા=૧ ક્ષુલ્લક ભવ. ક ૧ ફુલ્લક ભવ=શ્વાસોચ્છવાસ ૧ પ્રાણ). * ૭ પ્રાણઃ૧ સ્તોક
૭ સ્તોક=૧ લવ. આ ૭૭ લવ=મુહુર્ત ક ૧ મુહુર્ત=ર ઘડી. ૪િ૮ મિનિટ મુહુર્ત પૂરું ન થાય ત્યાં સુધી તેને “અન્તર્મુહૂર્ત કહેવાય.]
For Private And Personal Use Only