________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
અર્થ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । सम्पूर्णमप्रतिहतं सम्प्राप्तः केवलज्ञानम् ।।२६९ । । कृत्स्ने लोकालोकं व्यतीतसाम्प्रतभविष्यतः कालान् । द्रव्यगुणपर्यायाणां ज्ञाता दृष्टा च सर्वार्थः । । २७० ।।
क्षीणचतुः कर्माशी वैद्यायुर्नामगोत्रवेदयिता ।
विहरति मुहूर्तकालं देशोनां पूर्वकोटिं वा ।।२७१ ।।
શાશ્વત્, અનન્ત, નિરતિશય, અનુપમ, અનુત્તર, નિરર્શપ, સંપૂર્ણ અને અપ્રતિહત કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે,
લોક-અલોકમાં સંપૂર્ણ વસ્તુઓને જાણવાના કારણે, ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળના દ્રવ્ય, ગુણ અને પર્યાયોને બધા પ્રકારે જાણે છે ને જુએ છે.
ચાર કર્યો |ઘાતી)નો જેણે ક્ષય કરી નાખ્યો છે તેવા અને વેદનીય, આયુષ્ય, નામ તથા ગૌત્ર કર્મનો અનુભવ કરનારો કિવળજ્ઞાની) એક મુહૂર્ત સુધી અથવા કંઈક ઓછો ૫૮ વર્ષી એવા ‘એક ક્રોડ પૂર્વ' વર્ષો સુધી વિચરે.
વિવેત્તન : ચાર ઘાતી કર્મોનો નાશ થતાં, આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવતાં ગ્રન્થકાર કહે છે :
૧. કેવળજ્ઞાન શાશ્વત હોય છે. આત્મામાં પ્રગટ થયા પછી સર્વકાળ રહે છે. ૨. કેવળજ્ઞાન અનન્ત હોય છે. ક્યારેય આ જ્ઞાનનો અન્ન નથી આવતો. નષ્ટ નથી થતું.
૩. કેવળજ્ઞાન મહાતિશયવાળું હોય છે. એટલે કે એના કરતાં ચઢિયાતું બીજું કોઈ જ્ઞાન નથી,
૪. કેવળજ્ઞાન અનુપમ હોય છે. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જે આ જ્ઞાનને આપી શકાય.
૫. કેવળજ્ઞાન અનુત્તર હોય છે. આ જ્ઞાનથી વધીને ઉત્કૃષ્ટ બીજું કોઈ જ્ઞાન નથી. ૬. કેવળજ્ઞાન નિરવશેષ હોય છે. આ જ્ઞાન આત્મસ્વરૂપ હોય છે.
૭. કેવળજ્ઞાન સંપૂર્ણ હોય છે. લોકાલોકના સકલ જ્ઞેય પદાર્થોને જાણનારું હોય છે.
૧૨૮. ‘વળજ્ઞાન’ માટે જુઓ પરિશિષ્ટ...
For Private And Personal Use Only