________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાન
૪૪૫ આ ચારિત્ર નિરતિચાર હોય. આ તીર્થકરના તીર્થમાં હોય અને તીર્થસ્થાપના પૂર્વે પણ હોય.
યથાખ્યાત ચારિત્રી કર્મભૂમિમાં જ જન્મેલા હોય. કોઈ એમનું અપહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જઈ શકે.
ક ૧૧ માં ગુણસ્થાનકવાળા યથાખ્યાત ચારિત્રી મરીને અનુત્તર દેવલોકમાં જાય. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકવાળા મક્ષમાં જ જાય. જ અપાયી હોય.
પરમ શુક્લ લશ્યાવાળા હોય અને અલેશી હોય. ક ૧૧-૧૨ ગુણસ્થાને વર્ધમાન પરિણામવાળા હોય. ૧૩માં ગુણસ્થાને અવસ્થિત પરિણામ હોય. છે માત્ર શાતાવંદનીય કર્મ બાંધે, ૧૪ મા ગુણસ્થાને અબંધક હોય. + ૧૧ માં ગુણસ્થાનના યથાખ્યાત ચારિત્રીના વધુમાં વધુ ત્રણ ભવ હોય.
ઉપશમ ભાવ કે ક્ષાયિક ભાવ હોય. ૧૧માં ગુણસ્થાનક ઉપશમ ભાવ હોય. ૧ર-૧૩-૧૪ મા ગુણસ્થાનકે સાયિક ભાવ હોય.
ગ્રન્થકારે અહીં જે યથાખ્યાત-ચારિત્રની વાત કરી છે, તે બારમા “ક્ષીણ મોહ” ગુણસ્થાનકના ચારિત્રની છે. તેરમા ગુણસ્થાનકે રહેલા તીર્થંકર પરમાત્મામાં જેવું યથાવાત ચારિત્ર હોય છે, તેવું જ ચારિત્ર બારમા ગુણસ્થાનકે રહેલા મહાત્માનું હોય છે. એટલે આ ચારિત્રની અપેક્ષાએ એ મહાત્મા તીર્થંકરસમાન કહેવાય!
શુક્લધ્યાન शुक्लध्यानाद्यद्वयमवाप्य कर्माष्टकग्रणेतारम् ।
संसारमूलवीजं मूलादुन्मूलयति मोहम् ।।२५९ ।। અર્થ : પહેલાં બેશુક્લધ્યાન પૃથકુત્વ વિતસિવિચાર અને એકત્વ-વિતર્ક-અવિચારો પ્રાપ્ત કરીને ધ્યાન કરીને આઠેય કર્મોના નાયક અને સંસારવૃક્ષના મૂળ બીજ એવા મોહને જડમૂળથી ઉખાડી નાંખે છે.
વિરોચ્ચેનઃ ક્ષપકશ્રેણિ-આરોહણમાં આત્માના અત્યંત વિશુદ્ધ ભાવ જ કારણભૂત હોય છે. એ ભાવો સર્વપ્રથમ ત્રણ પ્રકારના હોય છે : સપૃથફત્વ, સવિચાર અને સવિતર્ક.
3
.
For Private And Personal Use Only