________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાખ્યાત-થારિત્ર तज्जयमवाप्य जितविघ्नरिपुभवशतसहस्रदुष्प्रयापम् ।
चारित्रमथाख्यातं सम्प्राप्तस्तीर्थकृततुल्यम् ।।२५८ ।। અર્થ : તેના પર વિજય મેળવીને વિભૂતિ-લબ્ધિનો ઉપયોગ ન કરીને વિઘ્ન કરનારા શત્રુઓક્રિોધાદિ કષાયો) ને જીતીને, લાખા જન્મોમાં પણ દુર્લભ, તીર્થકરના જેવું “યથાખ્યાત-ચરિત્ર' પ્રાપ્ત કરે છે.
વિવેદન : જ્યારે એ મહાત્મા, પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિ-શક્તિઓ તરફ પણ સંપૂર્ણ નિરપેક્ષ બને છે અને ક્રોધાદિ કષાયો પર સંપૂર્ણ વિજય મેળવે છે, ત્યારે એ મહાત્માને શ્રેષ્ઠ ચારિત્રગુણની સહજ પ્રાપ્તિ થાય છે. એ ચારિત્રનું નામ છે “યથાખ્યાત ચારિત્ર.”
આ “યથાખ્યાત-ચારિત્રને શાસ્ત્રીય દષ્ટિએ સમજી લઈએ; કારણ કે એનું વિસ્તૃત અને વાસ્તવિક સ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ જાણવા મળે છે.
-પહેલી વાત તો એ છે કે ગ્રન્થકારે “યથાખ્યાત” ના બદલે “અલ્યાખ્યાત” શબ્દનો પ્રયોગ કારિકામાં કર્યો છે, તે પણ સાર્થક જ છે. પહેલાં “યથાખ્યાત 'નો વ્યુત્પત્તિ-અર્થ જાણીએ. “યથા હ્યા તથા જેવું ચારિત્ર તીર્થકરોએ કહેલું છે તેવું-એનું નામ યથાખ્યાત. અર્થાતુ-મોહનીયસ્ય નિરવશેષોપશમા, ક્ષયાત્ર્ય આત્મસ્વભાવસ્થાપેક્ષાલક્ષણ યથાખ્યાતચારિત્રમ' મોહનીય કર્મના સંપૂર્ણ ઉપશમથી કે ક્ષયથી આત્મસ્વભાવરૂપ જે અવસ્થા, તેનું નામ યથાખ્યાત-ચારિત્ર,
યથાપ્યાતનો ભાવાર્થ પણ ઉપર મુજબ જ છે. અથશબ્દ “પછીના અર્થમાં વપરાય છે. સંપૂર્ણ મોહના ઉપશમ પછી કે ક્ષય પછી જે ચારિત્રગુણ પ્રગટે તેવું નામ અથાખ્યાત-ચારિત્ર.
યથાવાત-ચારિત્રનો ગુણ, ૧૧-૧ર-૧૩-૧૪ ગઢષ્ણસ્થાને આત્મામાં પ્રગટે છે.
યથાખ્યાત ચારિત્રી મહાત્મા વીતરાગ હોય છે.
- યથાખ્યાત ચારિત્રી કાં નિર્ઝન્ય હોય, કાં સ્નાતક'' હોય. ૧૧૪. ૧૧ મું ગુણસ્થાનક ઉપશાન્તમાંહ' કહેવાય છે. ૧૨ મું ગુણસ્થાનક “ક્ષીણમાંહ'
કહેવાય છે. ૧૩ મું ગુણસ્થાનક “યોગી કેવળી' કહેવાય છે. ૧૪ મું ગુણસ્થાનક
અયોગી કેવળી' કહેવાય છે. ૧૧૫, નિર્ગસ્થ અને સ્નાતકનું વર્ણન જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only