________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મધ્યાનનું સ્વરૂપ
૪૩૩
વિષયભોગથી સંસારના દુઃખ-દાવાનળમાં સળગવું પડે છે. એનો આત્મસાક્ષીએ નિર્ણય છે કે ચાર સંજ્ઞાઓની પરવશતા જીવાત્માને સંસારના પાતાળકૂવામાં ધકેલી દે છે.
એટલે એ મહાત્મા સરળતાથી ૧૮ હજાર શીલાંગનું પાલન કરી શકે છે. એ પાલન કરતાં કરતાં એ ધર્મધ્યાનમાં લીન બનતો જાય છે. જેમ જેમ એની ધર્મધ્યાન-લીનતા વૃદ્ધિ પામે છે તેમ તેમ એનો વૈરાગ્યભાવ પણ વૃદ્ધિ પામે છે...ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવને પામે છે: શ્રેષ્ઠ પ્રશમભાવમાં ઝીલે છે. પ્રશમભાવમાં ઉત્કૃષ્ટ રતિ-પ્રીતિ અનુભવે છે.
સંસાર-ભીરુતા, મુનિજીવનના મૂળભૂત ગુણ છે. સંસા૨ની-વૈષયિક સુખોની નિર્ગુણતા જાણીને તો એ આત્મા શ્રમણજીવન અંગીકાર કરે છે. સંસારનાં સુખોમાં દુઃખોનું દર્શન કરનાર મહાત્મા, સંસા૨-સુખોની ઝાકઝમાળમાં અંજાય જ કેમ?
હે મુનિરાજ, સંસારનાં વૈયિક સુખોમાં દુઃખદર્શન કરવાનું ક્યારેય ચૂકતા નહીં, તમારું આ દિવ્યદર્શન જ તમને શીલાંગસાગર તરવાની શક્તિ આપશે, સામર્થ્ય આપશે. જે દિવસે તમારી આ દિવ્યદૃષ્ટિ બિડાણી, એ દિવસે તમે વૈયિક સુખોની ભ્રમણામાં અટવાઈ જવાના, તમારો વૈરાગ્યભાવ નષ્ટ થઈ જવાનો, ને તમે દુઃખના દાવાનળ તરફ ઢસડાઈ જવાના. તમારો સંસારત્યાગ, તમારાં વ્રતતપ નિષ્ફળ જવાનાં.
‘સંસારભીરુતા’ના ગુણને અખંડ રાખો. ધર્મધ્યાનમાં લીન બનો.
ધર્મધ્યાનનું સ્વરૂપ
आज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ।। २४७ ।। आप्तवचनं प्रवचनं चाज्ञा, विद्ययस्तदर्थनिर्णयनम् । બ્રાહ્મવ-વિધા-ગૌરવ-રબહાદેવપાવસ્તુ ।।૨૪૮૧]
अशुभ-शुभकर्मपाकानुचिंतनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ।। २४९ ।।
અર્થ : | શીલાંગ-સમુદ્રનો પારગામી સાધુ] આજ્ઞાવિચય અને અપાયવિચય નામના ધ્યાનયોગને પ્રાપ્ત કરીને, વિપાકવિચય તથા સંસ્થાનવિચયને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only