________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
પ્રશમરતિ * આંખનું વચન તે પ્રવચન આગમી. તેનાં અર્થનિર્ણય તે આજ્ઞા-વિચય. અને આસવ, વિકથા, ગારવ, પરીષહ વગેરેમાં અનર્થનું ચિંતન કરવું, તે અપાયરિચય.
છે અશુભ અને શુભ કામના વિપાકનો વિચાર કરવા તે વિપાક-વિચય કહેવાય અને દ્રવ્ય તથા ક્ષેત્રના આકારનું ચિંતન કરવું તેને સંસ્થાન વિચય કહેવાય.
વિવેચન : મહાન કૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી “ધર્મધ્યાનની સ્તુતિ કરતાં કહે છે :
"સેંકડો ભવોમાં ઉપાર્જન કરેલ અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. આ તપના સર્વ પ્રકારોમાં ધર્મધ્યાન શ્રેષ્ઠ તપ છે.
ધર્મધ્યાન આંતરતપ ક્રિયારૂપ છે.
"આવો ઉત્તમ ધ્યાનયોગ જે મહાત્માને પ્રાપ્ત થયો હોય, તેમનામાં ચાર લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટેલાં હોય.
૧. આજ્ઞારુચિ : શ્રી જિનેશ્વર દેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સત્તત્ત્વોની પ્રતિપાદકતા.. વગેરે જોઈ તેના પર શ્રદ્ધા થાય.
૨. નિસર્ગરુચિ: આત્મપરિણામ જ્ઞાન-દર્શન-ચારિત્રમય બને.
૩. ઉપદેશરુચિ : જિનવચનના ઉપદેશનું શ્રવણ કરવાનો ભાવ અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ આપવાની ભાવના જાગે.
૪. સૂત્રચિ : દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપનની ભાવના જાગે. 'ધર્મધ્યાનનાં ચાર આલંબન, શ્રી પપાતિક સુત્રમાં બતાવવામાં આવ્યાં છે : ૧. વાચના, ૨. પૃચ્છના ૩. પરાવર્તના, અને ૪. ધર્મકથા.
સદૂગુરુ પાસે વિનયપૂર્વક આગમનું અધ્યયન કરવું. તેમાં શંકા પડે તો વિધિપૂર્વક ગુરુદેવ પાસે જઈ પૃચ્છા કરવી. નિઃશંક બનેલા સુત્રાર્થ ભૂલી ન જવાય તે માટે વારંવાર તેનું પરાવર્તન કરવું અને એ રીતે આત્મસાત્ થયેલા ११०. भवशतसमुपचितकर्मवनगहनज्वलनकल्पम् |
अखिलतपःप्रकारप्रवरम् । आन्तरतपाक्रियारूपम्। - हारिभद्रीय अष्टके १११. धम्मस्स णं झाणस्स चत्तारी लक्रवणा. आज्ञारूई, णिसग्गरूई, उवएसरूई. सुत्तरूई - औपपातिकसूत्रे ११२. धम्मस्स णं झाणस्स चत्तारी आलंबणा
वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा। - औपपातिक सूत्रे
For Private And Personal Use Only