________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૪૩૨
૭, મન-વચન-કાયાના યોગોને-પ્રવૃત્તિને પ્રશસ્ત-પવિત્ર રાખવા માટે જાગ્રત રહેજો. આ ત્રણ યાંગોના આધારે જ તમારે ભવસાગર તરવાનો છે, એ ન ભૂલશો.
આ સાત પ્રકારની આરાધનાથી તમારો સંયમજીવન રંગાઈ જાય, પછી તમારે ૧૮ હજાર શીલાંગના પાલન માટે જુદો પુરુષાર્થ નથી કરવાનો! એ સહજ ભાવે થઈ જ જવાનો! તમે શીલાર્ણવને તરી જવાના...વિશુદ્ધ આત્મસ્વરૂપને પામી જવાના.
આ સાત પ્રકારની આરાધનામાં તત્પર બનો મુનિરાજ! ધીર-વીર ને પરાક્રમી બનીને ઝંપલાવી દો આરાધનાના મહોદધિમાં...!
સંસા:ભીરુતા પાયાનો ગુણ शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगमपारस्य ।
धर्मध्यानमुपगतो वैराग्यं प्राप्नुयाद्योग्यम् ।।२४६ ।। અર્થ : સંસારભીર મુનિજનો દ્વારા સરળતાથી પાર કરી શકાય એવા શીલરૂપી સમુદ્રને પાર કરીને જે મુનિ ધર્મધ્યાનમાં તત્પર થાય છે, તેને યોગ્ય વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે.
કિર્તન : ૧૮ હજાર શીલાંગનો મહોદધિ સંસારભીરુ મહાત્મા જ તરી શકે. ચતુર્ગતિમય સંસારના પરિભ્રમણથી મુનિ ભયભીત હોય, શાસ્ત્રષ્ટિથી તેણે સંસારનું સ્વરૂપ જાણ્યું હોય, દુ:ખ, ત્રાસ, વ્યથાઓ અને વેદનાઓથી ભરેલો સંસાર, એ મહાત્માને જરા પણ આકર્ષી ન શકે. તેથી એ મન-વચનકાયાથી એવું એકેય આચરણ ન કરે કે જેના પરિણામે એને સંસારમાં જન્મમરણ કરવાં પડે.
એ મહાત્મા ક્ષમાદિ દસ પ્રકારના નિધર્મના પાલનમાં તો જ ઉજમાળ બની શકે, જો એ સંસારભીરુ હોય. પૃથ્વીકાયાદિના આરંભથી એ તો જ નિવૃત્ત રહી શકે, જો એ સંસારના પરિભ્રમણથી કંટાળેલો હોય. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ એ તો જ કરી શકે, જો એનું સંસારઆકર્ષણ મરી ગયું હોય. ચાર સંજ્ઞાઓનું નિયમન એ તો જ ફરી શકે જો એ સંસારને દુઃખમય જાણીને તેનાથી ઉભગી ગયેલો હોય.
એની સ્પષ્ટ સમજણ હોય છે કે પૃથ્વીકાયાદિના આરંભ-સમારંભ કરવાથી જીવને સંસારમાં ભટકવું પડે છે. એ જાણતો હોય છે કે પાંચ ઇન્દ્રિયોના
For Private And Personal Use Only