________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ તમારા આ આધ્યાત્મિક તેજની તોલે તો સૂર્યનાં હજાર કિરણો પણ ન આવે! એટલે તો એક મહર્ષિએ કહ્યું છે : દ્યોતતિ ચયા તથા सर्वाण्यादित्यतेजांसि!
સૂર્યનું તેજ તો જીવોને આંજી દે છે, ત્યારે તમારું તેજ જીવોને ઠારે છે! શીતળતા આપે છે! ઝળહળતા સુર્ય સામે તો દૃષ્ટિ પણ મંડાતી નથી, જ્યારે તમારા ઝળહળતા તેજને અમારી આંખો ધરાઈ ધરાઈને પીએ છે!
હે ગુણમૂર્તિ તેજસ્વી મુનિરાજ! તમારા ગુણો અમારામાં સંક્રમિત થાઓ ! તમારું તેજ અમારા અજ્ઞાનાંધકારનો નાશ કરો.
શ્રેષ્ઠ આરાઘના પ્રશમની! सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः । तं न लभते गुणं यत् प्रशमसुखमुपाश्रितो लभते ।।२४३ ।। અર્થ : સમ્યગુરુષ્ટિ, સમ્યગુજ્ઞાની અને વ્રત-તપોબળથી યુક્ત હોવા છતાં જે સાધક ઉપશાંત નથી તે, તવા ગુણને પ્રાપ્ત નથી કરી શકતો કે જે ગુણને પ્રશમસુખમાં રહેલા સાધક પ્રાપ્ત કરે છે.
વિવેચન : “હે મુનિરાજ, તમે અશાત્ત-ઉદ્વિગ્ન કેમ છો? તમારી મુખકાન્તિ પ્લાન કેમ છે? તમારા આત્માના ઓરડે તો સમ્યગુદર્શનનો રત્નદીપ પ્રગટેલો છે! તમારા આત્મમંદિરમાં તો શાસ્ત્રજ્ઞાનના શત-સહસ્ત્ર દીપકનો પ્રકાશ પથરાયેલો છે! પાંચ મહાવ્રતના વીર સુભટો તમારી સુરક્ષા કરી રહ્યા છે...અને તપશ્ચર્યાની તાતી તલવારો તમારા હાથમાં છે. પછી અશાન્ત કેમ?”
મુનિરાજે સામે જોયું. તેમની આંખોમાં ફરિયાદ હતી કે વેદના હતી. તેમણે કહ્યું : “હે પૂજ્ય, પચાસ વર્ષ થયાં આ વિરતિધર્મનું પાલન કરતાં કરતાં. જિનશાસને બતાવેલા મોક્ષમાર્ગ પર શ્રદ્ધા હતી અને આજે તે ખૂબ દૃઢ બની ગઈ છે એ શ્રદ્ધા..! સાધુ બન્યો ત્યારથી ગુરુ ચરણોમાં બેસીને વિનયપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરતો રહ્યો છું. મારા પરિચિતો મને વિદ્વાનુ' કહે છે. ઘણાં શાસ્ત્રો મને કંઠસ્થ પણ છે. નિયમિત એકાશનનું વ્રત કરું છું. આયંબિલનું, ઉપવાસનું તપ પણ કરું છું. છતાં શરીર પરનો રાગ ઓછો થતો નથી. શત્રુઓ પરનો કેપ ઓછો થતો નથી. રોગ અકળાવી જાય છે. મૃત્યુનો ભય ક્યારેક ફફડાવી જાય છે. રાજા કુમારપાલના શબ્દમાં કહું તો:
For Private And Personal Use Only