________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્રિનાં આભતેજ विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलकृतः साधुः ।
द्योतयति यथा सर्वाण्यादित्यः सर्वतेजांसि ||२४२ ।। અર્થ : સુર્ય જેમ તારા વગેરેનાં તેજીને અભિભૂત કરીને (સ્વતજથી) પ્રકાશ છે, તેમ વિષયસુખની અભિલાષાથી રહિત અને પ્રશમગુણોના સમૂહથી સુશોભિત મુનિ દિવમનુષ્યાદિનાં તેજ-સુખને અભિભૂત કરીને પ્રકાશે છે?]
વિવેચન : હે મુનિરાજ! તમે સહસરશ્મિની જેમ પ્રકાશમાન છો. દેવદાનવનાં તેજ તમારા દિવ્ય તેજના અંબારમાં અભિભૂત થઈ ગયાં છે. રાજામહારાજા અને ચક્રવર્તીનાં તેજ પણ તમારા આધ્યાત્મિક તેજના દેદીપ્યમાન પ્રકાશથી પરાભૂત થઈ ગયાં છે...એટલે તો એ સહુ તમને ભાવથી પ્રણમે છે.. તમને તેમના હૃદય-કમલમાં ધ્યાવે છે!
આ આધ્યાત્મિક દિવ્ય તેજ તમારામાં પ્રગટ્યું કેવી રીતે? મહાત્મનું, તમે સંસારનાં સર્વ વૈયિક સુખોનો ત્યાગ કર્યો છે. આ ત્યાગ માત્ર બાહ્ય ત્યાગ નથી, તમે એ તમામ સુખોનો મનથી પણ ત્યાગ કર્યો છે... તમારા હૃદયમાં એ સુખો મેળવવાની કે ભોગવવાની ઇચ્છા પણ નથી બચી !
પરંતુ તમારું હૃદય શુષ્ક નથી બની ગયું! તમે જિનવચનના સ્વાધ્યાયમાં રસ-તરબોળ બન્યા રહો છો! જિનવચનોનું અધ્યયન-અધ્યાપન, ચિંતન-મનન અને લેખનમાં તમે અભુત જ્ઞાનાનન્દ અનુભવો છો...પદ્માસનસ્થ થઈને, નાસાગ્ર દૃષ્ટિને સ્થિર કરીને, પ્રાણાયામથી સ્થિરતા પ્રાપ્ત કરીને તમે પરમાત્માના ધ્યાનમાં લીન બનો છો...
તમારે હૈયે આત્મસુખનો દરિયો પથરાયેલો છે. તમારાં તન-મન-શાન્તઉપશાન બનેલાં છે...હે મહામુનિ, આ બધાં કારણો છે તમારા દિવ્ય તેજને પ્રગટવાનાં!
* પ્રશમ'ના સહભાગી ગુણોથી તમે શોભાયમાન છો. • તમને નથી રાગ, નથી જ. તમે મધ્યસ્થ રહે છો. કે તમને નથી અશાન્તિ, નથી સંક્લેશ. તમે શાન્ત રસમાં ઝીલો છો. તમને નથી કોઈ જીવ પ્રત્યે શત્રુતા કે અભાવ. તમે સમશત્રુમિત્ર છો. તમે નથી કરતા પરનિન્દા કે નથી કરતા સ્વપ્રશંસા. તમે ગુણરાગી છો. તમે ક્ષમાદિ ગુણોની મૂર્તિ છો.
For Private And Personal Use Only