________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ હજાર શીલાંગ
૪૨૯ 'मम त्वदाज्ञां वहतोऽपि मु , शान्तिं न यात्येष कुतोऽपि हेतोः।' હે પ્રભો, તારી આજ્ઞાને માથે ચઢાવવા છતાં ગમે તે કારણે શાન્તિ મળતી નથી...”
પરમ વાત્સલ્યને ધારણ કરનારા ભગવાન ઉમાસ્વાતિએ મુનિરાજના મસ્તકે હાથ મૂક્યો અને ગંભીર સ્વરે કહ્યું : “મુનિરાજ, ઉપશાન્ત બનો. કપાયોને ઉપશાંત કરવાનો પુરુષાર્થ કરો. તમે જે આત્મગુણોનું પ્રગટીકરણ ઇચ્છો છો તે પ્રગટીકરણ ત્યારે થશે! શાસ્ત્રજ્ઞાનના સહારે આત્મજ્ઞાન મેળવવાનું લક્ષ્ય બનાવો. પરાશાઓથી નિવૃત્ત થાઓ. પરપદાર્થોની અપેક્ષાઓથી મુક્ત થાઓ. આત્મભાવને સ્થિર...શાન્ત..પ્રશાન્ત કરો. પ્રશમરસના ઝરણાને આત્મપ્રદેશમાં ફૂટવા દો.વહેવા દો. તમારી શ્રદ્ધાને, જ્ઞાનને, વિરતિને, વ્રતતપને...આ પુરુષાર્થની દિશા આપો.”
આત્મભાવમાં ઠરવાનું! ચિત્તવૃત્તિઓને શાન્ત કરવાની!
તપ-જપ, વ્રત-નિયમ, જ્ઞાન-ધ્યાન. આ બધું પ્રશમભાવ વિના વ્યર્થ બને છે. આત્મસંતુષ્ટિ મળતી નથી. આન્તરસંતોષની અનુભૂતિ થતી નથી. આત્મગુણોનું પ્રગટીકરણ થતું નથી. માટે, સાધના-આરાધનાનું લક્ષ્ય પ્રશમભાવ'ની પ્રાપ્તિનું બનાવો. પરમ આત્મવિશુદ્ધિનું અસાધારણ કારણ પ્રશમભાવ છે, એ વાત ન ભૂલશો.
૧૮ હજાર શીલાંગ सम्यग्दृष्टिानी विरतितपोध्यानभावनायोगः । शीलाङ्गसहस्त्राष्टादशकमयत्नेन साधयति ।।२४४ । ।
धर्माद् भूम्यादीन्द्रियसंज्ञाभ्यः करतश्च योगाच्च ।
શનિદાત્રાણામerશશ નિષ્પત્તિઃ ૨૪T અર્થ : સમ્યગુદૃષ્ટિ એવો જ્ઞાની વ્રત-તપ-ધ્યાનભાવના અને યોગથી શીલનાં ૧૮ હજાર અંગોને પ્રયત્ન વિના સાધે છે.
ધર્મથી, પૃથ્વીકાયાદિથી, ઇન્દ્રિયોથી, સંજ્ઞાથી, કરણ અને યોગાથી શીલનાં ૧૮ હજાર અંગોની ઉત્પત્તિ થાય છે.
વિવેવન : શીલ એટલે સંયમ. શીલ એટલે શ્રમણ્યના મૂળ-ઉત્તર ગુણો, તે મૂળ-ઉત્તર ગુણોના ૧૮ હજાર પ્રકાર છે. તેને ૧૮ હજાર “શીલાંગ' કહેવામાં
For Private And Personal Use Only