________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ચારિત્ર
૪૧૧ ગ્રન્થકાર આચાર્યદેવ, આ પાંચ ચારિત્ર અંગે વિશેષ બોધ પ્રાપ્ત કરવા, ત્રણ માર્ગો બતાવે છે : અનુયોગ, નન્ય અને પ્રમાણ. આ ત્રણ વિચારણાના ચિંતન-મનનના વિશિષ્ટ માર્ગો છે. પહેલાં આ ત્રણ શબ્દોને ઓળખી લઈએ.
અનુયોગ : સૂત્રના અભિધેય-કથની સાથે સંબંધ કરવો, તેનું નામ અનુયોગ. સૂત્રને અનુરૂપ કે અનુકૂળ જે વચનપ્રવૃત્તિ, તેનું નામ અનુયોગ.
અનુ' બદલે “અણુ લાગીને “અણુયોગ' શબ્દ બને ત્યારે “અણુ'નો અર્થ સૂત્ર” કરવાનો. અણુ જેટલા નાના સૂત્રનો વિશાળ અર્થ કરવો તેનું નામ અણુયોગ.
અનુયોગના ૧. અનુયાગ ૨. નિયોગ ૩. ભાષા ૪. વિભાપા, અને પ. વાર્તિક, આ પાંચ કાર્થક નામો છે.
પાંચ ચારિત્રનો અનુયાગ ૩૬ દ્વારોથી કરવામાં આવ્યો છે. અર્થાત્ ૩૬ દ્વારથી પાંચ ચારિત્રનો વિસ્તારથી બોધ થઈ શકે છે.
૧. પ્રજ્ઞાપના. ૯. લીંગ ૧૭. ઉપયોગ ૨. વેદ
૧૦. શરીર ૧૮. કષાય ૩. રાગ ૧૧. ક્ષેત્ર
૧૯. લેશ્યા ૪. કલ્પ ૧૨. કાળ ૨૦. પરિણામ ૫. નિર્ઝન્ય ૧૩. ગતિ
૨૧. બંધ ૬. પ્રતિસેવન ૧૪. સંયમ ૨૨. વેદન 9, જ્ઞાન ૧૫. સંનિકર્ષ ૨૩. ઉદીરણા ૮. તીર્થ ૧૬. યોગ ર૪. ઉપસંપદ ૨૫. સંજ્ઞા ર૯, કાળમાન ૩૩. સ્પર્શના રક, આહાર ૩૦. અંતર ૩૪. ભાવ ૨૭, ભવા ૩૧. સમુદ્દઘાત ૩૫. પરિમાણ
૨૮, આકર્ષ ૩૨. ક્ષેત્ર ૩૬. અલ્પબદુત્વ. ९७. अणुओगो य निओगो भास-विभासा य वत्तियं चेय।
एए अणुओगस्स उ नामा एगट्ठिया पंचः ।।२३८५।। - विशेषावश्यकभाष्ये જુઓ “પંચસંયત' પ્રકરણ.
For Private And Personal Use Only