________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧),
પ્રશમરતિ સ્થવિરકલ્પ' સ્વીકારી શકે અને ફરીથી પરિહારવિશુદ્ધિ-તપ કરવું હોય તો પણ કરી શકે.
* જેમને તપ ન ચાલતું હોય તે મુનિઓ નિવમાંથી નિત્ય ભોજન કરનારા હોય (ક્યારેક ઉપવાસ કરે છે, પરંતુ નિત્ય ભોજનમાં આયંબિલ જ કરે. તપશ્ચર્યાના પારણે પણ આયંબિલ કરે. વિગઈ વગેરે તો કોઈનેય કહ્યું નહીં. સૂક્ષ્મ સંપરા ચારિત્ર :
સંપરાય એટલે કષાય. દસમા ગુણસ્થાનકે આત્મામાં સુક્ષ્મ-થોડા જ કપાય રહેલા હોય છે, તેથી એ ગુણસ્થાનકે રહેલા આત્માને-મહાત્માને સુક્ષ્મસંપાયચારિત્ર હોય,
દસમું ગુણસ્થાનક, મહાત્મા જ્યારે ઉપશમ શ્રેણિએ કે ક્ષપક શ્રેણિએ ચઢે ત્યારે જ આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢેલો મહાત્મા ૧૧ મા ગુણસ્થાનકેથી પાછો પડે છે. ત્યારે પણ ૧૦ માં ગુણસ્થાનકે આવે છે. ચઢતાં વિશુદ્ધિ વધતી હોય, પડતાં વિશુદ્ધિ ઘટતી હોય, યથાવાત ચારિત્ર : કષાયરહિત આત્માને આ ચારિત્ર હોય છે. આ ચારિત્રના બે ભેદ છે : ૧. છઘસ્થનું યથાખ્યાત ચારિત્ર [૧૧-૧૨ મા ગુણસ્થાનકે ૨. કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર. [૧૩-૧૪ મા ગુણસ્થાનક |
અગિયારમાં ગુણસ્થાનકે કષાયોના ઉપશમથી યથાખ્યાત ચારિત્ર હોય. બારમા ગુણસ્થાનકે કષાયોના ક્ષયથી યથાખ્યાત ચારિત્ર હોય. - તેરમા ગુણસ્થાનકે સયોગી કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર હોય. ચૌદમાં ગુણસ્થાનકે અયોગી કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર હોય.
કષાયોના લયોપશમથી પહેલાં ત્રણ ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ, કપાયોના ઉપશમથી કે ક્ષયથી થાય છે.
આ દૃષ્ટિએ, કષાયોના ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય-ત્રણ પ્રક્રિયા સાર્થક છે.
९६. अहवा खओवसमओ चरणतियं उवसमेण खयओ वा।
सुहुमाहक्खाई तेणावसमक्खया कमसो।।१२८२।। - विशेषावश्यकभाष्य
For Private And Personal Use Only