________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાંચ ચારિત્ર
જે પાંચ મહાવ્રત આપવામાં આવ્યાં હતાં, તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય
ચારિત્ર હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. પાંચ મહાવ્રતોને સ્વીકાર્યા પછી, એ મહાવ્રતોનું ખંડન થયું હોય, એવા સાધુ-સાધ્વીને પુનઃ પાંચ મહાવ્રતો આપવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય.
૪૦૯
પરિહારવિશુદ્ધિ ચારિત્ર :
પરિહાર એટલે તપ. જે તપથી ચારિત્ર વિશેષ વિશુદ્ધ બને, તે તપને પરિહારવિશુદ્ધિ કહે છે, તે અપેક્ષાએ એ વિશુદ્ધ ચારિત્રને પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવામાં આવ્યું છે. આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં જ હોય છે. [પાંચ ભરત-પાંચ ઐરવત ક્ષેત્રોમાં.
નવ મુનિ ગુરુ-આજ્ઞાથી ગચ્છ બહાર નીકળે. તપશ્ચર્યા માટે અનુકૂળ ક્ષેત્રમાં જાય. ત્યાં મુનિઓ ત્રણ વિભાગમાં થઈ જાય. એક મુનિ વાચનાચાર્ય બને, ચાર મુનિ ઉત્કૃષ્ટ તપ કરે અને ચાર મુનિ સેવા કરે.
ૐ આ ચારિત્ર સ્વીકારનાર મુનિની ઉંમર ઓછામાં ઓછી ૨૯ વર્ષની હોવી જોઈએ. દીક્ષાપર્યાય ૧૯ વર્ષનો હોવો જોઈએ.
ગ્રીષ્મમાં
૧ ઉપવાસ
૨ ઉપવાસ
૩ ઉપવાસ
* આ ચારિત્ર તીર્થંકર પાસે કે તીર્થંકર પાસે દીક્ષિત થયેલા મુનિ પાસે જ અંગીકાર કરી શકાય.
તપશ્ચર્યા :
તપ
શિશિરમાં
વર્ષોમાં
જઘન્ય
૨ ઉપવાસ
૩ ઉપવાસ
મધ્યમ
૩ ઉપવાસ
૪ ઉપવાસ
ઉત્કૃષ્ટ
૪ ઉપવાસ
૫ ઉપવાસ.
* ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરે, પછી સેવા કરનારા ચાર મુનિ તપ કરે અને તપ કરનારા મુનિ સેવા કરે. છ મહિને તપ પૂરું થયા પછી વાચનાચાર્ય તપ શરૂ કરે. બાકીના આઠ સાધુઓમાંથી એક સાધુ વાચનાચાર્ય બને અને સાત સેવા કરે. આ રીતે ૧૮ મહિના આ તપ ચાલે.
For Private And Personal Use Only
* અઢાર મહિના પછી, એ નવ સાધુઓમાંથી જન ‘જિનકલ્પ · સ્વીકારવા હોય તે જિનકલ્પ સ્વીકારી શકે, જેને ગરમાં આવવું હોય તે ગચ્છમાં આવી