________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
પ્રશમરતિ જ કંઈક ઓલવાયેલા અને કંઈક રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ક્ષયોપશમિત કષાયો હોય. પાંચ ચારિત્ર : ૧. સામાયિક ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહારવિશુદ્ધિ ૪. સૂક્ષ્મસંપરાય ૫. યથાખ્યાત. સામાયિક ચારિત્ર : રાગ-દ્વેષ ઓછા થવા તેનું નામ સમ. વિશુદ્ધિનો લાભ થવો તેનું નામ આય. આનું નામ સામાયિક. સર્વ પાપયોગોની નિવૃત્તિરૂપ આ ચારિત્ર છે. આ પરિભાષાની અપેક્ષાએ શેષ ચાર ચારિત્ર પણ સામાયિક-ચારિત્ર જ છે વિશુદ્ધિ, તપશ્ચર્યા અને કષાયોના વિશેષ ક્ષય-ક્ષયપશમની અપેક્ષાએ જુદાં જુદાં નામ પડેલાં છે.
સામાયિક-ચારિત્રના બે ભેદ છે : ૧. ઈશ્વરેફાલિક અને ૨, યાવત્રુથિક.
ભરતક્ષેત્રો અને એરવત ક્ષેત્રોમાં, પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થકરના તીર્થમાં ઈવરકાલિક પિરિમિતકાળનું સામાયિક ચારિત્ર છે.
ભરત-ઐરાવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થકરોના તીર્થમાં યાવન્કથિક (જીવનપર્યતનું સામાયિક ચારિત્ર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો સર્વે સાધુસાધ્વીને યાવથિક સામાયિક ચારિત્ર જ હોય છે, ઈત્વરકાલિક નથી હોતું.
"છેદોપસ્થાપનીય ચારિત્ર : ૧. ઈન્વરકાલિક સામાયિક ચારિત્રવાળાં સાધુ-સાધ્વીને જે પાંચ મહાવ્રતો. આપવામાં આવે છે વડી દીક્ષા આપવામાં આવે છે. તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. એવી રીતે, ભગવાન પાર્શ્વનાથના તીર્થનાં સાધુ-સાધ્વી જ્યારે ભગવાન મહાવીરના તીર્થમાં આવ્યાં, ત્યારે તેમને ९५. सेहस्स निरइयारं तित्थंतरसंकमे च तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ।।१२६९।। - विशेषावश्यकभाष्य-टीकायाम
For Private And Personal Use Only