________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ચારિત્ર
सामायिकमित्याद्यं छेदोपस्थापनं द्वितीयं तु । परिहारविशुद्धिकं सूक्ष्मसम्परायं यथाख्यातम् ।।२२८ ।।
इत्येतत् पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरम् । अनेकानुयोगनयप्रमाणमार्गेः समनुगम्यम् ||२२९ ।।
અર્થ : પહેલું સામાયિક, બીજું છેોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધિ, ચોથું સૂક્ષ્મસંપરાય અને પાંચમું યથાખ્યાત.
આ પ્રમાણે આ પાંચ પ્રકારનું ચારિત્ર મોક્ષનું પ્રધાન કારણ છે. તેને અનેક અનુયોગ, નય અને પ્રમાણોથી સારી રીતે જાણવું જોઈએ.
વિવેષન : ભગવાન શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમ-સૂત્રના પહેલા જ સૂત્રમાં કહ્યું છે : સભ્ય વર્શન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ ! સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર, એ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગનો બોધ કરાવતા ગ્રન્થકાર આચાર્યશ્રી પ્રસ્તુતમાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી સભ્યશ્ચારિત્રનું સ્વરૂપ બતાવવા તત્પર થયા છે.
એક વાત પહેલાં સમજી લેવી જોઈએ કે ચારિત્રની પ્રાપ્તિનો સંબંધ ‘મોહનીય કર્મ'ના ક્ષયોપશમ સાથે રહેલાં છે. સર્વપ્રથમ દર્શનમોહનીય [ મિથ્યાત્વ ]નો ક્ષયોપશમ થવો જોઈએ. તે પછી અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કપાયોનો ક્ષયોપશમ થવો જોઈએ. આ ત્રણ જાતના ક્રોધમાન-માયા અને લોભનો ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્ર-ધર્મનો લાભ થાય,
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પૂર્વધર મહર્ષિ જિનભદ્રગણી ક્ષમાશ્રમણે કહ્યું છે. बारसविहेकसाए खइए उ सामिये व जोगेहिं ।
लभई चरित्तलंभो तस्स विसेसा इमं पंच ।।१२५४ ।।
પ્રશસ્ત મન-વચન-કાયાના યોગોથી બાર પ્રકારના કપાયોનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે ચારિત્રના પાંચ પ્રકાર છે.
4
* બુઝાઈ ગયેલા અગ્નિ જેવા ક્ષીણ કષાયો હોય,
* રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ઉપશાન્ત કષાયો હોય,
९४. खीणा निव्वाहुयासणोव्व छारपिहितव्व उवसंता ।
दरविज्झायविहाडियजलणोवम्मा खओवसमा ।। - विशेषावश्यकभाष्य-टीकायाम्
For Private And Personal Use Only