________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રશમરતિ सम्यग्दृष्टानं सम्यग्ज्ञानमिति नियमत: सिद्धम्।
आद्यत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तम् ।।२२७ ।। અર્થ : સમ્યગુદૃષ્ટિનું જ્ઞાન સમ્યગુ જ્ઞાન કહેવાય. આ નિયમથી સિદ્ધ છે. શરૂઆતનાં ત્રણ જ્ઞાન-મતિ, શ્રત અને અવધિ, મિથ્યાત્વથી સંયુક્ત થાય ત્યારે મિથ્યાજ્ઞાન બને છે. [અજ્ઞાન બને છે.
વિવેચન : જે આત્માને સર્વજ્ઞકથિત સ્વાર્થ પર શ્રદ્ધા હોય, તત્ત્વાર્થનો યથાવસ્થિત બોધ હોય તેને “સમ્યગદૃષ્ટિ' કહેવાય. શંકા-કાંક્ષા આદિ દોષોથી તેનું જ્ઞાન મુક્ત હોય. આવા સમ્યગુરુષ્ટિ આત્માઓનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સમ્યગુજ્ઞાન કહેવાય.
પરંતુ જે જીવાત્મામાં સમ્યક્તનો ઉદય ન થયો હોય, મિથ્યાત્વનો અંધકાર હોય તો એનાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “અજ્ઞાન' કહેવાય, મિથ્યાજ્ઞાન” કહેવાય. આ ત્રણ અજ્ઞાનરૂપ પણ હોય છે! અજ્ઞાનરૂપ બનેલાં એ જ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન 1 વિર્ભાગજ્ઞાન) કહેવાય છે.
અલબત્ત, લૌકિક દૃષ્ટિએ જ્ઞાન જ છે, પરંતુ અહીં જે જ્ઞાન-અજ્ઞાનનો ભેદ કરવામાં આવ્યો છે તે આગમષ્ટિએ કરવામાં આવ્યો છે. જિનાગમોનો આ નિર્ણય છે કે મિથ્યાષ્ટિનાં આ ત્રણ જ્ઞાન અજ્ઞાન જ છે.
મિથ્યાત્વ, સત્ અને અસનો ભેદ કરવા દેતું નથી. એટલું જ નહીં, સહુને અસતું અને અસતુને સત્ મનાવે છે! તેથી એ જ્ઞાન અજ્ઞાનરૂપ છે.
સમ્યક્ત્વ, સતુને સતું અને અસતુને અસતું સમજાવે છે, તેથી તે જ્ઞાન સન્ હોય છે તે જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન નં વિરતિ: જ્ઞાનનું ફળ ‘વિરતિ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અતિ અલ્પ હોવા છતાં, મોક્ષાભિમુખ હોવાથી, તેનું જ્ઞાન ફળયુક્ત બને છે. નાનકડો પણ દીવો માર્ગને પ્રકાશિત કરે છે.
મિથ્યાષ્ટિનું જ્ઞાન ગમે તેટલું વધારે હોય, છતાં સંસારાભિમુખ હોવાથી, તેનું જ્ઞાન ફલરહિત-નિષ્ફળ બને છે. અંધકાર એ અંધકાર! અંધકારમાં ભટકવાનું જ હોય.
For Private And Personal Use Only