________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૫ મનપર્યાયજ્ઞાનનો વિષય : મન:પર્યાયજ્ઞાન પણ મૂર્ત (રૂપી) દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરી શકે છે; પરન્તુ અવધિજ્ઞાન જેટલો નહીં. મન:પર્યાયજ્ઞાનનો વિષય, અવધિજ્ઞાનના વિષયનો અનન્તમો ભાગ કહેવામાં આવ્યો છે, કારણ કે અવધિજ્ઞાનથી સર્વપ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ થઈ શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનથી તો માત્ર અઢીદ્વીપમાં રહેલા મનુષ્યના મનના પર્યાયો જ જાણી શકાય છે.
મન:પર્યાયજ્ઞાન ગમે તેટલું વિશદ્ધ હોય, છતાં પોતાના ગ્રાહ્ય દ્રવ્યોના સર્વપર્યાયોને જાણી શકતું નથી.
કેવળજ્ઞાનનો વિષય : કેવળજ્ઞાન સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે. એવું કોઈ દ્રવ્ય નથી કે એવો કોઈ ભાવ નથી કે જે કેવળજ્ઞાન દ્વારા જાણી ન શકાય, જોઈ ન શકાય. લોકાલોકના અનન્ત પર્યાયોને જાણવાનું સામર્થ્ય હોય છે આ જ્ઞાનમાં. આનાથી વધીને બીજું કોઈ જ્ઞાન નથી. એક સાથે એક જીવમાં કેટલાં જ્ઞાન હોય?
એક જીવમાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, અનિયતરૂપે હોઈ શકે, જ્યારે કેવળજ્ઞાન હોય ત્યારે એક જ હોય, બીજાં જ્ઞાન ન હોય. “પ્રશમરતિ ના ટીકાકાર આચાર્યશ્રી કહે છે : એકલું મતિજ્ઞાન પણ હોઈ શકે. અલબત્ત, મતિ અને શ્રત એક-બીજા વિના નથી રહેતાં, છતાં અક્ષરાત્મક શ્રુતજ્ઞાન સર્વત્ર નથી હોતું, એ અપેક્ષાએ એકલું મતિજ્ઞાન હોઈ શકે છે. Éિ મતિજ્ઞાનું નાન્યત: श्रुतज्ञानमक्षरात्मकं सर्वत्र न संभवतीत्येवमुक्तमेकं मतिज्ञानमिति।
* ક્યારેક એક જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-બે જ્ઞાન હોય. જે ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત અને અવધિ-ત્રણ જ્ઞાન હોય. છે ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત અને મનઃ પર્યાય ત્રણ જ્ઞાન હોય.
ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય-આ ચાર જ્ઞાન હોય. આ રીતે, ભેદ, વિષય આદિથી પાંચ જ્ઞાનની વિસ્તારથી વિચારણા કરી. હવે ગ્રન્થકાર સ્વયં સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે;
९१. तदनन्तभागे मनःपर्यायस्य । १/२९ ९२. सर्वद्रव्यपर्यायष केवलस्य । १/३० ९३. एकादीनि भाज्यानि युगपदकस्मिन्त्राचतुर्यः । १/३१
For Private And Personal Use Only