________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪o
પ્રશમરતિ વિપુલમતિ-મન:પર્યાયજ્ઞાન : વિષયને જે વિશેષરૂપે જાણે તે વિપુલમતિ.
દા.ત., એક માણસે ઘડાનો વિચાર કર્યો. જુમતિ-મન પર્યાયજ્ઞાની માત્ર ઘડાના વિચારને જ જોશે, જ્યારે વિપુલમતિ-મન:પર્યાયજ્ઞાની, ઘડા અંગે એ માણસ જે સેંકડો વિચાર કરે, તે બધા વિચારોને જાણે!
આ ભેદ, મન:પર્યાયજ્ઞાનાવરણના ક્ષયોપશમની ભિન્નતાના કારણે પડે છે. ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચાલ્યું પણ જાય. વિપુલમતિમના પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન સુધી રહે છે.
મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર માત્ર મનુષ્યક્ષેત્ર અઢી દ્વીપ જ છે. અને આ જ્ઞાન માત્ર સંયત એવા મનુષ્યને જ થાય છે.
કેવળજ્ઞાન :
સર્વ દ્રવ્યાદિના પરિણામની સત્તાને જાણવાનું કારણ, અનન્ત, શાશ્વતું અને અપ્રતિપાતી કેવળજ્ઞાન એક જ છે. એના ભેદ-પ્રકારો નથી.
સર્વકાળના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને જાણનારું કેવળજ્ઞાન પ્રકાશે છે. તે પર્યાયથી અનન્ત છે, નિરન્તર ઉપયોગવાળું હોવાથી શાશ્વત છે. નાશ નહીં પામતું હોવાથી અપ્રતિપાતી છે અને સર્વવિશુદ્ધિવાળું હોવાથી એક જ પ્રકારે છે. પાંચ જ્ઞાનના વિષય :
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષય : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા રુપી અને અરૂપી બધાં દ્રવ્ય જાણી શકાય છે, પરંતુ તે દ્રવ્યોના બધા પર્યાય જાણી શકાય નહીં. મતિવૃતના ગ્રાહ્ય વિષયોની આ દૃષ્ટિએ સમાનતા છે. છતાં, પર્યાયોની અપેક્ષાએ તફાવત છે. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી દ્રવ્યોના કેટલાક વર્તમાન પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે, પરન્તુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણેય કાળના પર્યાયોને થોડાવત્તા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે.
અવધિજ્ઞાનનો વિષય : અવધિજ્ઞાનમાં માત્ર રૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થઈ શકે છે, તે પણ રૂપી દ્રવ્યોના સર્વપર્યાયોને જાણી શકતું નથી. ८८. मणपज्जवनाणं पुण जणमणपरिचितियत्थपागडणं।
माणुसखेत्तनिबद्धं गुणपच्चइयं चरित्तवओ ।।८१०।। - विशेषावश्यकभाष्ये ८९. मतिश्रुतयोर्निवन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु। १/२७ ૧૦, ધ્વવધે || વરદ
For Private And Personal Use Only