________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૦૩ અવસ્થિત અવધિજ્ઞાન :
જેમ કોઈ જીવાત્માને એક ભવમાં પ્રાપ્ત થયેલ પુરુષલિંગ સ્ત્રીલિંગ વગેરે લિંગ આંદગીપર્યત કાયમ રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી કાયમ રહે છે.
અનવસ્થિત અવધિજ્ઞાન :
જેમ સરોવરમાં જલતરંગો વધે છે ને ઘટે છે, તેવી રીતે અવધિજ્ઞાનનો વિષય ક્યારેક વધે ને ક્યારેક ઘટે, ક્યારેક નાશ પણ પામે. આ વધ-ઘટ અને નાશ, જીવના શુભાશુભ અધ્યવસાયોના કારણે થતો હોય છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અવધિજ્ઞાનના ૧૪ ભેદ બતાવવામાં આવ્યા છે, અર્થાત્ અવધિજ્ઞાન અંગે ૧૪ ધારોથી વિવેચન કરવામાં આવ્યું છે. અહીં માત્ર તે ૧૪ ભેદોનાં નામ જ બતાવું છું. વિશેષ જિજ્ઞાસુએ વિશેષાવશ્યકભાષ્ય' માંથી બોધ પ્રાપ્ત કરવો.
(૧) ક્ષેત્ર-પરિમાણ (૨) સંસ્થાન (૩) અનુગામી (૪) અનનુગામી (૫) અવસ્થિત (૯) ચળ (૭) તીવ્ર-મંદ (૮) પ્રતિપાત-ઉત્પાતાદિ (૯) જ્ઞાન (૧૦) દર્શન (૧૧) વિભંગ (૧૨) દેશ (૧૩) ક્ષેત્ર (૧૪) ગતિ. મન:પર્યાયજ્ઞાન :
મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે : (૧) ઋજુમતિ અને વિપુલમતિ. મનવાળા સંજ્ઞી જીવો કોઈપણ વસ્તુનો વિચાર મનથી કરે છે. વિચારણીયમનનીય વસ્તુના ભેદ પ્રમાણે વિચારપ્રવૃત્ત મન જુદી જુદી આકૃતિઓ ધારણ કરે છે. એ આકૃતિઓ મનના પર્યાય કહેવાય છે. એ પર્યાયોને સાક્ષાત જાણનાર જ્ઞાન, તે મન:પર્યાયજ્ઞાન.
ઋજુમતિ-મનઃપર્યાયજ્ઞાન : “વિષયને જે સામાન્યરૂપે જાણે તે ઋજુમતિ. સામાન્યરૂપે જાણવાનો અર્થ એટલો જ છે કે તે વિપુલમતિની અપેક્ષાએ થોડા વિશેષોને જાણે છે. વિપુલમતિની અપેક્ષાએ ઋજુમતિમાં અધ્યવસાયોની વિશુદ્ધિ ઓછી હોય છે. ૮૫. વિશેષાવ૫ માર્ચ, જાથ-9૭૭/૫૭૮ ८६. ऋजुविपुलमति मनःपर्यायः । - तत्त्वार्थसूत्रे-१/२४ ८७. या मतिः सामान्यं गृहणाति सा ऋज्वीत्युपदिश्यते। या पुनर्विशेषग्राहिणी सा
विपुलेत्युपदिश्यते । - तत्त्वार्थसूत्र टीकायाम्
For Private And Personal Use Only