________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
પ્રશમરતિ નય : પ્રમાણ :
પ્રત્યેક પદાર્થ અનન્ત ધર્માત્મક હોય છે. “પ્રમાણ' એ પદાર્થને અનન્ત ધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય’ એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને ગ્રહણ કરે છે અને સિદ્ધ કરે છે. પ્રમાણ અને નયમાં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશકે છે. પરંતુ જેમ સમુદ્રના એક અંશને સમુદ્ર ન કહેવાય તેમ અસમુદ્ર પણ ન કહેવાય તેવી રીતે નયને પ્રમાણ પણ ન કહેવાય અને અપ્રમાણ પણ ન કહેવાય. સમ્યગુ અર્થનિર્ણય-તે પ્રમાણે છે.
નયોના જેવી રીતે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-આ સાત પ્રકાર છે, તેવી રીતે ૧. નિશ્ચયનય ૨. વ્યવહારનય, જ્ઞાનનયક્રિયાનય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિકનય...એવા પણ જુદા જુદા પ્રકાર છે.
પાંચ ચારિત્રનો વિચાર-વિસ્તાર માં નયોની દૃષ્ટિએ પણ કરવામાં આવ્યો છે:
દ્રવ્યચારિત્ર-ભાવચારિત્ર, નિશ્ચયચારિત્ર વગેરે નયની દૃષ્ટિએ કહેવામાં આવ્યાં છે. દરેક નય પોતાને અભિમત હોય તે જ ચારિત્રને ચારિત્ર માને છે, બીજા ચારિત્રને ચારિત્ર માનતો નથી. જ્યારે પ્રમાણે દરેક ચારિત્રની યુક્તિપૂર્વક સ્વીકાર કરે છે.
મોક્ષમાર્ગ सम्यक्त्वज्ञानचारित्रसम्पदः साधनानि मोक्षस्य । तास्वेकतराऽभावेऽपि मोक्षमार्गाऽप्यासिद्धिकरः ।।२३०।। અર્થ : સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફરિત્રરૂપ સંપદા માલનાં સાધન છે. એમાંથી એકના અભાવમાં મોક્ષમાર્ગની સિદ્ધિ નથી થતી.
વિવેચન : સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રનું વિસ્તારથી વિવેચન કર્યા પછી હવે આ કારિકાના માધ્યમથી એ નિર્ણય કરીશું કે સમ્યગુદર્શનાદિ ત્રણ સમૂહરૂપે જ માક્ષનાં સાધન બને છે. એકલું સમ્યગદર્શન નહીં એકલું સભ્ય જ્ઞાન નહીં, કે એકલું સમ્યકુચારિત્ર નહીં. આ ત્રણેયનો સમુહ મોક્ષમાર્ગ છે, કોઈ એક નહીં પરંતુ એ નિર્ણય કરતાં પૂર્વે “મોક્ષ' કોને કહેવાય અને મોક્ષમાર્ગ કોને કહેવાય, એનો વિચાર કરીશું. ९८. सम्यगर्थर्णियल प्रमाणम्। - प्रमाणमीमांसायाम् ९९. एतानि च समरतानि मोक्षसाधनानि ।
एकतरामावेऽप्यसाधनानीत्यतः त्रयाणां ग्रहम। - तत्त्वार्थभाष्ये
For Private And Personal Use Only