________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
પાંચ ઇન્દ્રિયો અને મન-આ છને અર્થાવગ્રહ આદિ ૪-૪ ભેદોથી ગુણતાં ૨૪ થાય. એમાં ૪ વ્યંજનાવગ્રહ ઉમેરતાં ૨૮ થાય, એ ૨૮ ને બહુ-અબડું આદિ ૧૨ ભેદોથી ગુણતાં ૩૩૬ થાય. શ્રુતજ્ઞાન :
આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનવચન.. આ બધા શ્રુતજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે.
સમગ્ર રાજલોકમાં જેટલા અક્ષરો છે અને અક્ષરોના જેટલા સંયોગ છે, તેટલા શ્રુતજ્ઞાનના ભેદ છે. અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અના છે! એક એક સંયોગ અનન્ત પર્યાયવાળો છે! એટલે શ્રુતજ્ઞાનના ભેદી અનન્ત છે! આ બધા ભેદોને કહેવા માટે તો સર્વજ્ઞ પણ સમર્થ ન બને...આયુષ્ય પૂર્ણ થઈ જાય, પરન્તુ ભેદો પૂરા કહી ન શકાય.
ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી શ્રુતજ્ઞાનના ભેદો, જુદા જુદા ગ્રન્થોમાં ગ્રન્થકાર આચાર્યદેવોએ બતાવ્યા છે :
* શ્રી ‘તત્વાર્થસૂત્ર'માં બે અને બાર ભેદ બતાવવામાં આવ્યા છે. * શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ચૌદ ભેદ બતાવવામાં આવ્યા છે. જ પહલા કર્મગ્રન્થમાં વીસ ભેદ બતાવવામાં આવ્યા છે. * શ્રી નન્દીસૂત્રમાં ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે. બે ભેદ : ૧. અંગબાહ્ય, ૨. અંગપ્રવિષ્ટ.
શ્રુતજ્ઞાનના એ ભેદ વાના ભેદની અપેક્ષાએ છે. તીર્થકર ભગવંતોએ જે જ્ઞાન અર્થથી પ્રકાશિત કર્યું, તે જ્ઞાનને એમના પ્રજ્ઞાવત શિષ્યો-ગણધરોએ ગ્રહણ કર્યું અને દ્વાદશાંગીરૂપે સૂત્રબદ્ધ કર્યું, આ દ્વાદશાંગીને “અંગપ્રવિષ્ટ' શ્રુતજ્ઞાન કહેવાય છે.
७८. श्रुतमाप्तवचनं आगमः उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनान्तरम् ।
• તીર્થમણે ७९. मत्तेयमक्खराई अक्खरसंजोग जत्तिया लोए।
एवइया सुयनाणे पयडीअ होंति नायव्वा ।।४४४।। - विशेषावश्यकभाष्ये ८०, यकर्तृविशेषाद् द्वैविध्यम्। - तत्त्वार्थभाष्ये
For Private And Personal Use Only