________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯.
પ્રશમરતિ છે.. ઘડા દેખાય છે. આ ઘડાનું વ્યંજન થયું કહેવાય. એવી રીતે, ગ્રાહ્ય વિષયની સાથે તે વિષયની ગ્રાહક ઉપકરણ-ઇન્દ્રિયોનો સંયોગ થતાં જ (સંયોગ = વ્યંજન) જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ, તે જ વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહમાં થતું જ્ઞાન એટલું બધું અલ્પ હોય છે કે એમાં આ કંઈક છ” એવો સામાન્ય બોધ પણ થતો નથી.
આ વ્યંજનાવગ્રહ ચાર ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે. સ્પર્શન, રસન, ધ્રાણ અને શ્રોત્ર. એટલે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ
અર્થાવગ્રહ : જેમ જેમ ઇન્દ્રિય અને વિષયનો સંયોગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે...અને “આ કંઈક છે,' એવો સામાન્ય બોધ થાય છે. આ સામાન્ય બોધને “અર્થાવગ્રહ' કહેવામાં આવે છે.
વ્યંજનાવગ્રહનો દીર્ઘ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ એટલો ઓછો છે કે એનાથી વિયનો સામાન્યબોધ પણ થતો નથી, આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. અર્થાત્ વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોય છે.
૭૬. ઇન્દ્રિય બે પ્રકારની છે : ૧. દ્રવ્યન્દ્રિય અને ૨. ભાવન્દ્રિય,
દ્રવ્યન્દ્રિયના બે પ્રકાર છે : ૧. નિવૃત્તિ અને ૨. ઉપકરણ.
ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે : ૧. લબ્ધિ અને ૨. ઉપયોગ, ૭૭. શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયની આકૃતિ કે જે પુદ્ગલ સ્કંધોની વિશિષ્ટ રચનાઓ
છે, તે નિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય છે.
નિવૃત્તિ ઇન્દ્રિયની બહારની અને અંદરની જે પૌલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન પેદા નથી કરી શકતી, તે “ઉપકરણ ઇન્દ્રિય” કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ કર્મ આદિનો ક્ષયોપશમ કે જે એક પ્રકારનો આત્મિક પરિણામ છે, તે “લબ્ધિ-ઇન્દ્રિય' છે.
લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ-આ ત્રણેય ઇન્દ્રિયોના મળવાથી જે રૂપ આદિ વિપયાનો સામાન્ય અને વિશેષ બોધ થાય છે, તે ઉપયોગ-ઇન્દ્રિય' છે.
For Private And Personal Use Only