________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૩૮૯ (૧) પ્રશમ : અતત્ત્વના પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ. (૨) સંવેગ : સાંસારિક બંધનોનો ભય. (૩) નિર્વેદ : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ઓછી થવી. (૪) અનુકશ્મા : દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા. (૫) અસ્તિકાય : જીવાદિ નવ તત્ત્વોના હાર્દિક સ્વીકાર.
અધિગમના પર્યાયવાચી શબ્દો છે અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ. નિસર્ગના પર્યાયવાચી શબ્દો છે નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ.
* સમ્યગુદર્શનના જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. કેટલાક પ્રકારો આ મુજબ છે :
પામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન વેદક, કારક, રોચક, દીપક. • નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ...
મિથ્યાત एतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् ।
ज्ञानमथ पञ्चभेदं तत् प्रत्यक्ष परोक्षं च ।।२२४ ।। અર્થ : આ સમ્યગુર્શન છે. અનધિગમ તત્ત્વાર્થની અશ્રદ્ધા અને વિપર્યય વિપરીત શ્રદ્ધા| મિથ્યાત્વ છે.
જ્ઞાનના પાંચ ભેદ છે. તેના બે પ્રકાર છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. વિવેવન : જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા, તે સમ્યગદર્શન છે. અથવા ભાવપૂર્વકપારમાર્થિક દૃષ્ટિએ અર્થો પરની શ્રદ્ધા-તેને સમ્યગુદર્શન કહેવાય.
જિનક્તિ તત્ત્વ પરની અશ્રદ્ધા તે મિથ્યાત્વ છે. જે તત્ત્વો સર્વજ્ઞ-સર્વદશી પરમાત્માએ બતાવ્યાં છે, તેનો અસ્વીકાર, તે મિથ્યાત્વ છે. ६८. अधिगम : अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्तरम् |
निसर्ग : परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् । -तत्त्वार्थभाष्ये/अ०१-सू०३ ६९. सम्यक्चस्तव-प्रकरणे
For Private And Personal Use Only