________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८४
પ્રશમરતિ
પ્રકારના અત્યંતરપ બતાવવામાં આવ્યા છે. બાહ્ય તપ અત્યંતર તપમાં પહોંચવા માટે કરવાનો છે. બાહ્ય તપથી થતી નિર્જરા કરતાં અત્યંતરતપથી વિશેષ કૃર્મનિર્જરા થાય છે.
ગ્રન્થકારે ‘બન્ધ’ તત્ત્વની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. કર્મોની સંતતિ તે બંધ! સકર્મા જીવ જ કર્મબંધ કરે છે. જેમ સાયી જીવ કર્મબંધ કરે છે તેમ અકષાયી જીવ પણ શાતાવેદનીય કર્મનો બંધ કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં આ જ ગ્રન્થકારે ‘બંધ'ની વ્યાખ્યા સકષાયી જીવોને અનુલક્ષીને કરી છે.
51
" सकषायत्वाज्जीवः कर्मणां योग्यान् पुद्गलानादत्ते स वन्धः !
‘જીવ અકષાયી હોવાથી કર્મને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે, તે બંધ કહેવાય.' આ જ ગ્રન્થકાર અહીં ‘પ્રશમરતિ'માં બંધની પરિભાષા ‘ર્મરન્તતિબંધ કરે છે. આ વ્યાખ્યા વધુ સ્પષ્ટ છે. આત્મા કર્મથી જ કર્મને ગ્રહણ કરે છે! અકર્મા જીવ કર્મ ગ્રહણ નથી કરતો. કર્મબંધનું વિસ્તૃત સ્વરૂપ, આ જ ગ્રંથમાં કારિકા ૩૪ થી ૫૬ સુધીમાં બતાવાયું છે.
‘મોક્ષ’ની વ્યાખ્યા કરતાં ગ્રંથકાર કહે છે : 'વવિયો મોક્ષઃ કર્મબંધનો અભાવ તે મોક્ષ! તત્ત્વાર્થ સૂત્રમાં 'સ્ત્વવર્મક્ષયો મોક્ષઃ′ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ! આ વ્યાખ્યા કરવામાં આવી છે. બંને વ્યાખ્યાઓ એક જ અર્થનું પ્રતિપાદન કરે છે. સર્વ કર્મનો ક્ષય થઈ જાય પછી કર્મબંધ થાય જ નહીં! કર્મોથી સર્વથા મુક્ત બનેલા આત્માને કર્મબંધ થતો નથી. આ જ મોક્ષ છે જીવો.
આ રીતે ગ્રન્થકારે જીવ તત્ત્વનું અને અજીવ તત્ત્વનું કંઈક વિસ્તૃત અને બાકીનાં સાત તત્ત્વોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે.
સમ્યગદર્શન
एतेष्वध्यवसायो योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतच्च तन्निसर्गादधिगमाद्वा ।। २२२ ।।
शिक्षागमोपदेशश्रवणान्येकार्थकान्यधिगमस्य ।
પાર્થ: પીળામાં મતિ નિસર્યા સ્વભાવશ્ય ||૨૨૩||
અર્થ : આ જીવાદિ પદાર્થોમાં પરમાર્થથી ‘આ જ તત્ત્વ છે.' એવો જે અધ્યવસાય થાય છે તે સમ્યગ્દર્શન સ્વભાવથી અથવા અધિગમથી બાહ્ય નિમિત્તથી થાય છે. શિક્ષા, ૬૧. તત્ત્વાર્થ/૪. ૮, હૂઁ. ર/રૂ
For Private And Personal Use Only