________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८३
'પદ
નિર્જરા-બંધ અને મોક્ષ
દયા, દાન, બ્રહ્મચર્ય પાલન આદિ શુભ કાયયોગ છે. નિરવદ્ય સત્યભાષણ. મૃદુ તથા સભ્ય ભાષણ શુભ વચનયોગ છે. મૈત્રી, પ્રમોદ આદિના વિચારો શુભ મનોયગ છે.
હિંસા-ચોરી-અબ્રહ્મસેવન આદિ અશુભ કાયયોગ છે. સાવદ્ય-મિથ્યા-કઠોર ભાષણ અશુભ વચનયોગ છે. બીજાના અહિતનો વિચાર, બીજાના વધનો વિચાર...આદિ અશુભ મનોયોગ છે.
આસવનો નિરોધ તે સંવર. કર્મબંધના હેતુઓ આસવ કહેવાય છે, તે હેતુઓને રોકવા તે સંવર છે. જેટલા પ્રમાણમાં આ આસવો રોકાય તેટલા પ્રમાણમાં આત્મવિશુદ્ધિ થાય. મન-વચન-કાયાની ગુપ્તિથી આસવોને રોકી શકાય. આ જ ગ્રંથકારે તત્ત્વાર્થસૂત્રમાં સંવરના બીજા પણ ઉપાયો બતાવ્યા છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીપહજય અને ચારિત્ર વડે આસવોનો સંવર થઈ શકે છે. અર્થાત્ મનવચન-કાયાના યોગો નિયંત્રિત બને છે. આ આસવ-સંવરના ભેદોનું વિસ્તૃત વર્ણન “નવતત્ત્વપ્રકરણ” તથા “તત્ત્વાર્થસૂત્ર ટીકા' આદિ ગ્રંથામાં પ્રાપ્ત થાય છે.
નિશાબંઘ આવો મોક્ષ संवृततपउपधानं तु निर्जरा कर्मसन्ततिवन्धः। वन्धवियोगो मोक्षस्त्विति संक्षेपानव पदार्थाः ।।२२१।। અર્થ : સંવરથી યુક્ત જીવનું તપ-ઉપધાન તે નિર્જરા, કર્મોની સંતતિ તે બંધ, બંધન વિયોગ અભાવ તે મોક્ષ. આ રીતે સંક્ષેપમાં નવ પદાર્થો તત્ત્વો) બતાવ્યા.
વિવેચન : નિર્જરા એટલે કર્મોનો આંશિક તથા સર્વથા ક્ષય. તપશ્ચર્યાથી આ કર્મનિર્જરા થાય છે. પરંતુ તપશ્ચર્યા કરનાર આત્મા સંવૃત્ત જોઈએ. સંવૃત્ત આત્માની તપશ્ચર્યા નિર્જરાનો હેતુ બને છે. સમિતિયુક્ત, ધર્મધ્યાનયુક્ત, અનુપ્રેક્ષાયુક્ત, ચારિત્રયુક્ત અને પરીષહવિજેતા આત્માની તપશ્ચર્યા વિપુલ કર્મનિર્જરા કરે છે...એની તપશ્ચર્યા “તપ-ઉપધાન બને છે અર્થાત્ આત્મ-સુખનું કારણ બને છે. સુખના હેતુને ઉપધાન” કહેવામાં આવ્યો છે.
તપના બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ ૬૮. માસ્ત્રપરિધર સંવર: - તત્ત્વાર્થો , . ૧ ૬૨. ન ગતિ-સતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષદના-ચારિત્રઃ I - સ્વાર્થે મ. ૨, ફૂ. ૨ ૬૦. જુઓ આ ગ્રંથની ૧૭૫૧૭૬ કારિકા.
For Private And Personal Use Only