SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગદર્શન ૩૮૫ આગમ, ઉપદેશશ્રવણ-આ અધિગમના સમાનાર્થક છે અને પરિણામ,નિસર્ગ, સ્વભાવ આ ત્રણ કાર્થક છે. વિવેચન : જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળનો છે. જીવ સંપૂર્ણતયા કર્મોના પ્રભાવ નીચે છે. એની દરેક વૃત્તિ અને પ્રવૃત્તિ કર્મ-પ્રેરિત હોય છે. પરંતુ સંસારપરિભ્રમણનો કાળ જ્યારે મર્યાદિત થાય છે અને જીવમાં સભાનતા આવે છે ત્યારે તેને આંતરબાહ્ય સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. એ સંયોગોમાં જો એ કર્મોનો નાશ કરવા પુરુષાર્થ કરી લે છે તો તે આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સર્વપ્રથમ આત્મવિશુદ્ધિ “સમ્યગુદર્શન' ની પ્રાપ્ત કરે છે. આત્તર બાહ્ય સાનુકૂળતાએ કેવી મળવી જોઈએ, તે પહેલાં બતાવી દઉં. "જીવાત્મા પર્યાપ્ત' જોઈએ. અર્થાત્ છએ “પર્યાપ્તિથી યુક્ત જોઈએ. આ પાંચેય ઇન્દ્રિયોની પરિપૂર્ણતા જોઈએ.એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના નહીં સંજ્ઞીપણું જોઈએ. અર્થાત્ મન જોઈએ. મન વિનાનાં પંચેન્દ્રિય પણ ન ચાલે. શુભ લેશ્યા જોઈએ. એટલે કે તેજ-પધ-શુક્લ લેગ્યામાંથી કોઈ એક લેશ્યા જોઈએ. પરાવર્તમાન શુભ કર્મપ્રકૃતિને બાંધનારો જીવ જોઈએ. ચઢતા વિશુદ્ધ અવ્યવસાયવાળો જોઈએ. છે અશુભ કર્મપ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંતગણ વૃદ્ધિએ બાંધનારો જોઈએ.રસબંધ ] મોહનીયકર્મની સ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમની બાંધનારો જોઈએ [વધુ નહીં.] આયુષ્ય કર્મને બાંધતો હોવો જોઈએ નહીં. * *ઉત્તરોત્તર “પલ્યોપમ'ના સંખ્યામાં ભાગે ન્યૂન-ન્યૂન કર્મબંધ કરતો જોઈએ. સાકારોપયોગમાં વર્તતો 'ભવ્ય' જીવ જોઈએ. ફર. પર્યાપ્તનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. ૬૩. “પરાવર્તમાન પ્રકૃતિનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. ૬૪, પલ્યોપમનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. કપ, “ભવ્ય જીવ'નું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy