________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
762
પ્રશમરતિ
૧૩. આહારક-શરીર : આ કર્મનો ઉદય ચૌદ પૂર્વોના જ્ઞાની મહર્ષિને હોય. તેઓ તીર્થંકરનું સમવસરણ જોવા, શંકાનું સમાધાન કરવા એક હાથ પ્રમાણનું આહારક શરીર બનાવીને તીર્થંકર પાસે જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. તેજસ-શરીર : આ કર્મના ઉદયથી આહાર પચાવનાર અને ‘તેજાલેશ્યા’ માં હેતુભૂત શરીરની પ્રાપ્તિ થાય.
૧૫. કાર્મણ-શરીર : સર્વ શરીરોનાં મૂળ કારણરૂપ અને આઠ કર્મોના વિકાસરૂપ ‘ફાર્મણ’ શરીર પ્રાપ્ત થાય.
:
૧૬, ઔદારિક-અંગોપાંગ ઔદારિક શરીરનાં અંગોપાંગ મળે. ૧૭. વૈક્રિય-અંગોપાંગ : વૈક્રિય શરીરનાં અંગોપાંગ મળે.
૧૮. આહારક-અંગોપાંગ : આહારક શરીરનાં અંગોપાંગ મળે,
૧૯. વજ્ર-ઋષભ-નારાય-સંઘયણ : બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને તેના પર ખીલી. આવો હાડકાંનો બાંધો આ કર્મના ઉદયથી મળે.
૨૦. સમચતુરસ સંસ્થાન ઃ પર્યંકાસને પલાંઠી વાળીને બેસતાં જે શરીરની ચારે બાજુ સરખી હોય તેવી શરીરાકૃતિ.
૨૧. શુભ વર્ણ : શરીરના શ્વેત, પીત અને લાલ રંગની પ્રાપ્તિ થાય.
૨૨. શુભ ગંધ : શરીરની ગંધ શુભ પ્રાપ્ત થાય.
૨૭. શુભ રસ ઃ શરીરનો સ્વાદ શુભ હોય,
૨૪. શુભ સ્પર્શ : શરીરનો સ્પર્શ હળવો, સુંવાળો અને પ્રિય હોય.
૨૫. અગુરુ-લઘુ : બહુ ભારે નહીં, બહુ હલકું નહીં, એવું મધ્યમ વજનદાર શરીર મળે.
૨૬. પરાઘાત : બળવાનને પણ જીતવા સમર્થ બને.
૨૭. શ્વાસોચ્છવાસ : શ્વાસોચ્છ્વાસ સુખરૂપ લઈ શકાય.
૨૮. આતપ : સૂર્યની જેમ પોતે શીતલ હોય અને બીજાને તાપ કરે,
૨૯. ઉદ્યોત : ચન્દ્ર જેવા શીતળ અને પ્રકાશવાળા શરીરની પ્રાપ્તિ થાય.
૩૦. શુભ-વિહાયોગતિ : હાથી-હંસ જેવી સારી ચાલ મળે,
૩૧. નિર્માણ : સુથારે ઘડેલી પૂતળીની જેમ અંગોપાંગ યોગ્ય સ્થળે ગોઠવાય. ૩૨. ત્રસ : બેઇન્દ્રિયાદિ શરીરની પ્રાપ્તિ થાય.
૩૩. બાદર : ચર્મચક્ષુથી જોઈ શકાય એવું મોટું શરીર મળે.
For Private And Personal Use Only