________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુણ્ય અને પાપ
૩૪. શુભ : નાભિ ઉપરનું શરીર પ્રમાણોપેત મળે. ૩૫. પર્યાપ્ત : પોતાની પર્યાપ્તિ પૂરી કરે. ૩૬. પ્રત્યેક : એક શરીરમાં એક જીવપણું મળે, ૩૭. સ્થિર : હાડકાં કૂદાંત વગેરે સ્થિર રહે.
૩૮. સૌભાગ્ય : લોકપ્રિયતા મળે, જ્યાં પગલાં પડે ત્યાં લોકોને ગમે.
૩૯. સુસ્વર : વાણી મધુર અને પ્રિય મળે.
૪૦. આઠેય : લોકોમાં વચન માન્ય થાય.
૪૧, યશ : લોકમાં યશકીર્તિ ફેલાય, ૪૨. તીર્થંકર : ત્રિભુવન-પૂજ્ય તીર્થંકર બને. પાપપ્રકૃતિ ૮૨ છે :
૧. મતિજ્ઞાનાવરણ : મતિજ્ઞાનને ઢાંકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. શ્રુતજ્ઞાનાવરણ : શ્રુતજ્ઞાનને ઢાંકે.
૩. અવધિજ્ઞાનાવરણ : અવધિજ્ઞાનને ઢાંકે.
૪. મન:પર્યવજ્ઞાનાવરણ : મન:પર્યવજ્ઞાનને ઢાંકે,
૫. કેવળજ્ઞાનાવરણ : કેવળજ્ઞાનને ઢાંકે.
૬. ચક્ષુદર્શનાવરણ : ચક્ષુદર્શનને ઢાંકે.
૭. અચક્ષુદર્શનાવરણ : ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો પર અસર કરે.
૮. અવધિદર્શનાવરણ : અવધિદર્શનને ઢાંકે.
૯. કેવળદર્શનાવરણ : કેવળદર્શનને ઢાંકે,
૧૦. નિદ્રા ઃ એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી સુર્ખ કરીને જાગે, ૧૧, નિદ્રાનિદ્રા : એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી પરાણે જાગે. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં અને ઊભાં ઊભાં નિદ્રા આવે.
For Private And Personal Use Only
266
૧૩. પ્રચલા-પ્રચલા : ચાલતાં-ચાલતાં ઊંઘ આવે.
૧૪. થિણદ્ધિ : દિવસે ચિંતવેલું કામ રાત્રે નિન્દ્રાવસ્થામાં, જાગતાની જેમ કરે. ૧૫. મિથ્યાત્વ મોહનીય : વીતરાગના વચન પર શ્રદ્ધા ન થાય. ૧૬. થી ૧૯. અનન્તાનુબંધી કષાય : ક્રોધ-માન-માયા લોભ-સમ્યક્ત્વને રોકે. ૨૦ થી ૨૩. અપ્રત્યાખ્યાની કષાય : ક્રોધાદી ચાર, દેશ-વિરતિને રોકે.