________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુથ અને પાપ पुद्गलकर्म शुभं यत् तत् पुण्यमिति जिनशासने दृष्टम् ।
यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ।।२१९ ।। અર્થ : જે પુદ્ગલ-કર્મ શુભ છે તે પુણ્ય છે, એવું જિનશાસનમાં જોવાયું છે. જે અશુભ છે તે પાપ છે, એવું સર્વજ્ઞ વડે કહેવાયેલું છે.
વિવેચન : જ્યાં સુધી કાર્મણવર્ગણાનાં પુગલ જીવ ગ્રહણ નથી કરતો ત્યાં સુધી એ પુદ્ગલો શુભ કે અશુભ નથી હોતાં. યોગ વડે જ્યારે એ કામણવર્ગણાનાં પુગલ જીવ ગ્રહણ કરે છે ત્યારે તેના બે ભેદ પડે છે : શુભ અને અશુભ. શુભ કર્મને પુણ્ય-પ્રકૃતિ કહેવામાં આવે છે અને અશુભ કર્મને પાપ-પ્રકૃતિ કહેવામાં આવે છે. જે પુદ્ગલ-કર્મ આત્મા સાથે જોડાઈને સુખનો અનુભવ કરાવે તેને પુણ્ય-પ્રકૃતિ કહેવાય અને જે પુગલ-કર્મ આત્મા સાથે જોડાઈને દુ:ખનો અનુભવ કરાવે તેને પાપ-પ્રકૃતિ કહેવાય. પુણ્યપ્રકૃતિ ૪૨ છે : ૧. સાતા-વેદનીય : આ કર્મના ઉદયથી શરીરનું સુખ મળે. ૨. ઉચ્ચ ગોત્ર : આ કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય. ૩. દેવ-આયુષ્ય : દેવગતિનું આયુષ્ય મળે. ૪. મનુષ્ય-આયુષ્ય : મનુષ્યગતિનું આયુષ્ય મળે. ૫. તિર્યંચ-આયુષ્ય : તિર્યંચગતિનું આયુષ્ય મળે. ૩. મનુષ્ય-ગતિ : મનુષ્ય-ગતિમાં જન્મ મળે. ૭. મનુષ્ય-આનુપૂર્વી: આ કર્મ જીવને મનુષ્ય-ગતિમાં લઈ આવે. ૮. દેવ-ગતિ : દેવ-ગતિમાં જન્મ મળે. ૯. દેવ-આનુપૂર્વી : આ કર્મ જીવને દેવ-ગતિમાં લઈ આવે. ૧૦. પંચેન્દ્રિય-જાતિ : જીવને પંચેન્દ્રિયપણું મળે.
૧૧. ઓદારિક-શરીર : મનુષ્ય અને તિર્યંચનાં શરીર ઔદારિક પગલાથી બને. આ કર્મના ઉદયથી જીવ પોતાના શરીરયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે.
૧૨. વૈક્રિય-શરીર : દેવ અને નારકીનાં શરીર “વૈક્રિય” પગલોનાં બને. આ કર્મના ઉદયથી વિવિધ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only