________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬.
પ્રશમરતિ પોતપોતાની પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન પાંચ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણા કરવી તેનું નામ વર્તના.
પરત્વ એટલે યેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ.
સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે, આ કાળનો પ્રભાવ છે. દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ બને છે. ઘી બને છે. આ કાળનું કાર્ય છે. જમીનમાંથી અંકુર ફૂટે છે..છોડ થાય છે...તેના પર ફળ આવે છે. તેમાં પ્રેરક છે આ કાળદ્રવ્ય! કાળા વાળ ધોળા થાય છે, નવું વસ્ત્ર જૂનું થાય છે..આ છે કાળના પરિણામ. છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળકૃત છે.
અતીત-અનાગત અને વર્તમાનનો વ્યવહાર કાળકૃત છે. મોટા નાનાનો વ્યવહાર પણ કાળકૃત છે. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ-રસાદિનાં પરિવર્તનમાં કાળદ્રવ્ય પ્રેરક છે. જીવમાં જ્ઞાન-દર્શનાદિના ઉપયોગનું પરિવર્તન પણ કાળકૃત છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર વિશ્વ પર છવાયેલું છે!
કારિકાના અર્ધ ભાગમાં કાળદ્રવ્યનું લક્ષણ બતાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં આ જ ગ્રન્થકારે કાર્ય દ્વારા જીવનું લક્ષણ બતાવ્યું છે. અહીં આ ગ્રન્થમાં ગુણો દ્વારા જીવનું લક્ષણ બતાવે છે. ૧. સમ્પર્વ નિસ્વાર્થ શ્રદ્ધાનરૂ૫ | ૨. જ્ઞાન મતિ-વૃતાદિરૂપ ] ૩. ચારિત્ર ક્રિયાનુષ્ઠાનરૂપ ] ૪. વીર્ય શિક્તિવિશેષ | ૫. શિક્ષાલિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપી
જીવના આ મુખ્ય પાંચ ગુણ જીવમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય કે “જીવ આ ગુણો પેદા કરે છે...' એ રીતે જીવને ઉપકારી કહી શકાય.
આ રીતે છએ દ્રવ્યોનાં કાર્ય બતાવીને, ગ્રન્થકાર અજીવ દ્રવ્યનું વર્ણન પૂર્ણ કરે છે.
ઉ૫. પરસ્પરોપગ્ર કૌવાના - તત્ત્વાર્થસૂત્ર પ્ર. ૬ સૂ. ૨૧
For Private And Personal Use Only