________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭પ
કાળ અને જીવનાં લક્ષણ ધીમો તીવ્ર આદિ શબ્દ સાંભળે છે, તે બધા પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે! સ્પર્ધાદિ પુદ્ગલ દ્રવ્યના જ ગુણ છે.
કર્મપુદગલોના આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરન્યાયે જે બંધ થાય છે, તે પણ પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. અનન્તપ્રદેશી પુદ્ગલસ્કંધોનું સુક્ષ્મ થવું અને સ્થૂલ થવું એ પુદ્ગલનાં કાર્ય છે. આકાશમાં જે વાદળ થાય છે, ઈન્દ્રધનુષ્ય રચાય છે.વગેરે પુગલ દ્રવ્યોનાં કાર્ય છે. સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન-આકારો પણ પુદ્ગલ-દ્રવ્યનું સર્જન છે. ખંડ થવા, ટુકડા થવા એ પુદ્ગલનું કામ છે અને અંધકાર તથા છાયા પણ પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે.
ચન્દ્ર, તારા વગેરેનો પ્રકાશ-ઉદ્યોત પુદ્ગલનો ઉપકાર છે અને સૂર્યનો આતપ પણ પુદ્ગલનો ઉપકાર છે.
જ્ઞાનાવરણ આદિ કર્મો, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મણ શરીરો, આ પદ્ગલ દ્રવ્યનાં સર્જન છે. જીવાત્માની પ્રત્યેક ક્રિયા અને શ્વાસોચ્છવાસ પુલનાં કાર્ય છે. જેને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ, તે પણ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે.
જીવન પર અનુગ્રહ કરનારાં ઘી-દૂધ વગેરે મુદ્દગલો અને મૃત્યુનાં કારણભૂત દ્રવ્યો ઝેર વગેરે પણ પુદ્ગલ દ્રવ્યનાં કાર્ય છે.
આ બધાં પુદ્ગલ દ્રવ્યનાં કાર્યો સ્કંધરૂપે પરિણત પુગલ-દ્રવ્યો પણ જીવદ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ આ કાર્ય કરી શકે છે. સુખદુઃખનાં કન્ડ જીવાત્મામાં જે ઉત્પન્ન થાય છે તે પુદ્ગલ-દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે. માટે તેને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય કહ્યું છે.
કાળ અને જીવનાં લક્ષણ परिणामवर्तनाविधिः परापरत्वगुणलक्षण: कालः ।
सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणा: जीवाः ।।२१८ ।। અર્થ : પરિણામ, વર્તનાનો વિધિ, પરત્વ-અપરત્વ ગુણ, કાળનાં લક્ષણ છે. સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર; વીર્ય અને શિક્ષા- જીવના ગુણ છે.
વિવેચન : ગ્રન્થકાર શ્રીમદ્ ઉમાસ્વાતિજી કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને તેના ઉપકારો બતાવે છે.
પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના, દ્રવ્યમાં થતી પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિત્તનું નામ પરિણામ.
For Private And Personal Use Only