________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
પ્રશમરતિ જેમ સ્વયં જે ખેતી કરતા કિસાનોને વર્ષા સહાય કરે છે! પરંતુ ખેતી નહીં કરતા કિસાનોને બલાત્કારે તે ખેતી કરાવતી નથી.
જેમ મેઘગર્જનાને સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો મેઘગર્જના બલાત્કારે પ્રસવ કરાવતી નથી.
છે જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતો. -
આ રીતે જીવ અને પુદ્ગલની ગતિ-સ્થિતિમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણય દ્રવ્યો પ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું અસ્તિત્વ જ કાર્ય કરે છે.
પુદ્ગલ દ્રવ્યના ઉપકાણે स्पर्शरसगन्धवर्णाः शब्दो बन्धश्च सूक्ष्मता स्थौल्यम् ।
संस्थानं भेदतमश्छायोद्योतातपश्चेति ।।२१६।। कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः ।
जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ।।२१७।। અર્થ : સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સુમતા, સ્થલતા, આકાર, ખંડ, અંધકાર, છાયા, પ્રકાશ ચિન્દ્રન અને તાપ સૂર્યનો સંસારી જીવોનાં કર્મ, જ્ઞાનાવરણાદિ| શરીર, મન-વચન-ક્રિયા, શ્વાસ, ઉચ્છવાસ, સુખ-દુ:ખ આપનારા સ્કંધપુદ્ગલો) છે, જીવન અને મરામાં સહાયક સ્કંધો છે. આ બધા પુદ્ગલના ઉપકારો છે.)
વિવેવન : પુદ્ગલ દ્રવ્યનાં અનેક કાર્ય છે. અહીં આ બે કારિકામાં તેમાંનાં થોડાંક કાર્યો બતાવવામાં આવ્યાં છે. પુદ્ગલનાં કાર્યોને પુદ્ગલના ઉપકાર' કહેવામાં આવ્યા છે. અલબત્ત, પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે અકર્તા છે, છતાં એ ઉપકાર કરે છે' આ વાક્યપ્રયોગ જે કરવામાં આવ્યો છે તે માત્ર ઔપચારિક છે,
જીવાત્મા જે મૂ-કઠોર આદિ સ્પર્શ અનુભવું છે, ખાટો-મીઠો વગેરે રસ અનુભવે છે, સુગન્ધ-દુર્ગન્ધ અનુભવે છે, લાલ-પીળ આદિ વર્ણ જુએ છે,
For Private And Personal Use Only