________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
પ્રશમરતિ કાળના સમયો અનન્ત છે-એ અપેક્ષાએ કાળ અનન્ત કહેવાય. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને “સમય” કહેવાય છે.
આ છ દ્રવ્યોમાં “કાળ' સિવાયનાં પાંચ દ્રવ્ય અસ્તિકાય' કહેવાય છે. જેનું “અસ્તિત્વ' હોય અને જે પ્રદેશસમૂહરૂપે હોય તેને “અસ્તિકાય”ની સંજ્ઞા આપવામાં આવી છે.
જીવ અસંખ્ય પ્રદેશાત્મક છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશાત્મક છે, આકાશ અનન્ત પ્રદેશાત્મક છે અને પુદ્ગલ પણ અના પ્રદેશાત્મક છે, તેથી તે “અસ્તિકાય છે. કાળ પ્રદેશપ્રચય રૂ૫ ન હોવાથી તેને “અસ્તિકાયન કહેવાય. કાય” શબ્દ પ્રદેશોની બહુલતા બતાવવા જ પ્રયોજાયો
પ્રશ્ન : “અસ્તિકાય' શબ્દમાં “કાય’ શબ્દ દ્રવ્યના પ્રદેશોની બહુલતાની અપેક્ષાએ યોજાયો છે, પરંતુ “અસ્તિ” શબ્દ કોના અસ્તિત્વનો નિર્દેશ કરે છે?
ઉત્તર : તે તે દ્રવ્યના શાશ્વતું સ્વભાવના અસ્તિત્વનો નિર્દેશ કરે છે. જીવનો સ્વભાવ છે ચૈતન્ય, પુદ્ગલનો સ્વભાવ મૂર્તત્વ છે. ધર્મ-અધર્મ-આકાશનો સ્વભાવ અમૂર્તતા અને સકલ લોકવ્યાપિતા છે. આ ધ્રુવ સ્વભાવ છે.
આ છ દ્રવ્યોમાં “ક માત્ર જીવ દ્રવ્ય છે. કારણ કે તે ચેતન છે. ચેતન દ્રવ્યમાં જ કર્તૃત્વ સંભવે. અચેતન દ્રવ્યોમાં કર્તુત્વ ન ઘટી શકે. કારણ કે અજીવમાં, ચૈતન્યપૂર્વક અનુભૂતિ સંભવી શકતી નથી. “કર્તા અને ભોક્તા આત્મા જ છે', એની પુષ્ટિ કરતાં “પંચાસ્તિકાય' માં કહેવાયું છે :
एवं कत्ता भोत्ता होज्झं अप्पा सगेहि कम्मेहिं ।
हिंडती पारमपारं संसारं मोहसंछण्णो ।।६९ ।। મોહથી છવાયેલો આત્મા, પોતાનાં કર્મોના ઉદયથી કર્તા અને ભોક્તા હોય છે અને તે અનાદિ-અનન્ત સંસારમાં ભ્રમણ કરે છે.'
५१. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आया । ___ अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ।।४ || - पञ्चास्तिकाये ५२. कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थ च - तत्त्वार्थभाष्ये/अ.पू/स.१ ५३. यथा चैतन्यमात्मनोऽकृत्रिमम्, मूर्तत्वं वा पुद्गलद्रव्यस्य, धर्मादीनाममूर्तत्वं - सकललोकव्यापिता गत्याधुपग्रहादिलक्षणानि च ध्रुवाण्येतानि । - तत्त्वार्थटीकायाम्।
अ० पू/स० १
For Private And Personal Use Only