________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
પ્રશમરતિ પ્રયોજાયેલા છે. આ લોક” અને “અલોક” છ દ્રવ્યોનું આધારભૂત ક્ષેત્ર છે. તેમાં આકાશ-દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપક છે. “અલોકમાં લિોકની બહારનો પ્રદેશ અલોક છે. આકાશ-દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય રહેતું નથી, જ્યારે ‘લોકમાં છએ દ્રવ્યોનું અસ્તિત્વ છે.
કાળ-દ્રવ્યનું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું, એનું અસ્તિત્વ માત્ર મર્યલોકમાં જ છે, અર્થાત્ અઢીદ્વીપમાં જ છે. કારણ કે કાળકૃત વ્યવહાર સૂર્ય-ચન્દ્રનું પરિભ્રમણની અપેક્ષાએ જ છે. અઢી દ્વીપમાં જ સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણ છે. ઊર્ધ્વલોક, અધોલોક અને અઢી દ્વીપ સિવાયના મધ્યલોકમાં સૂર્ય-ચન્દ્રાદિનું પરિભ્રમણ નથી એટલે ત્યાં કાળનો વ્યવહાર (વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ) નથી.
જે અઢી દ્વિીપમાં કાળનો વ્યવહાર છે, એ અઢી લીપનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે :
આપણે જે ક્ષેત્રમાં રહ્યા છીએ એ ક્ષેત્ર છે જંબુદ્વિીપનું. જંબુદ્વીપમાં પણ, મેરુપર્વતથી દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્રમાં આપણું અવસ્થાન છે. આ જંબુદ્વીપનો વ્યાસ એક લાખ યોજનાનો છે અને ઘેરાવો (પરિધ) ૩૧,૬૨,૨૭૩ ગાઉ છે.
આ જંબૂઢીપને ફરતો બે લાખ યંજનનો વ્યાસવાળો લવણસમુદ્ર છે. તેનો પરિધ લગભગ ૧૫૦૮૧૪૪ યોજનાનો છે.
લવણસમુદ્રને ફરતો ચાર લાખ યોજનના વ્યાસવાળો ધાતકીખંડ આવેલો છે તેનો પરિધિ ૪૧ ૧૦૯૬૧ યોજન છે.
* ધાતકીખંડને ફરતો ૮ લાખ યોજન પહોળો અને ૯૧૧૭૬૭પ યોજના પરિધિવાળો કાલોદધિ સમુદ્ર આવેલો છે. આ સમુદ્રમાં ભરતી-ઓટ હોતી નથી.
કાલોદધિ સમુદ્રને ફરતો ૮ લાખ યોજન પહોળો અને ૨૪૩૦૨૪૯ યોજન પરિધિવાળો અર્ધપુષ્કરદ્વીપ આવેલો છે.
પુષ્કરદ્વીપના મધ્ય ભાગમાં વલયાકારે માનુષોત્તર નામનો પર્વત આવેલો છે. આ પર્વત પુષ્કરદ્વીપના બે ભાગ કરે છે. તેના એક ભાગમાં જ મનુષ્યો. હોય છે. બીજા અડધા ભાગમાં મનુષ્યો નથી હોતા. આ રીતે (૧) જંબુદ્વીપ (૨) ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ-આને અઢી દ્વીપ કહેવાય છે. આ અઢી દ્વિીપમાં જ મનુષ્યો હોય છે અને “કાળનો વ્યવહાર હોય છે.
For Private And Personal Use Only