________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોનું અવસ્થાન
* ઊંધા પડેલા શકોરા જેવો અધોલોક છે.
* થાળી જેવો મધ્યલોક છે.
* એક ઊભા શોરા પર બીજું ઊંધું શકારું મૂકો ને જે આકાર બને, તેના જેવો ઊર્ધ્વલોક છે.
* અધોલોક, ‘રત્નપ્રભા’ નારકીથી મહાતમઃપ્રભા નારકી સુધી સાત પ્રકારે છે. * મધ્યલોકમાં, જંબુદ્રીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય દ્વીપસમુદ્રો હોવાયી અનેક ભેદ છે.
* ઊર્ધ્વલોકમાં, સૌધર્મદેવલોકથી માંડી સિદ્ધશિલા[ઇષતુ પ્રાક્ભારા સુધી પંદર પ્રકારો છે.
* બાર દેવલોકના ૧૦ પ્રકાર ગણવામાં આવ્યા છે. આનત દેવલોક અને પ્રાણત દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે અને આરણ દેવલોક તથા અચ્યુત દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે. કારણ કે આનત-પ્રાણતનો સ્વામી એક ઇન્દ્ર છે અને આરણ-અચ્યુતનો સ્વામી એક ઇન્દ્ર છે. આ અપેક્ષાએ ૧૦ પ્રકાર બતાવ્યા છે.
૩૧૯
* નવ ત્રૈવેયકના ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. ત્રણ અધો ત્રૈવેયકનો એક, ત્રણ મધ્યમ ત્રૈવેયકનો બીજો અને ત્રણ ઊર્ધ્વ ત્રૈવેયકનો ત્રીજો પ્રકાર ગણ્યો છે.
* પાંચ અનુત્તર દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે.
* પંદરમો પ્રકાર સિદ્ધશિલાનો બતાવ્યો છે.
આ રીતે ૧૦+૩+૧+૧=૧૫ પ્રકાર ઊર્ધ્વલોકના બતાવ્યા છે.
છ દ્રવ્યોના આધારભૂત ચૌદ રાજલોકનું સંક્ષેપમાં આ સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે એ છ દ્રવ્ય કેવી રીતે લોકમાં રહેલાં છે, તેનું નિરૂપણ ગ્રન્થકાર કરે છેઃ
y
છ દ્રવ્યોનું અવસ્થાન
लोकालोकव्यापकमाकाशं मर्त्यलौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ।।२१३ ।।
For Private And Personal Use Only
અર્થ : આકાશદ્રવ્ય લોક અને અલોકમાં વ્યાપક છે. કાળનો વ્યવહાર મનુષ્યલોકમાં
જ છે. બાકીનાં ચાર દ્રવ્ય લોકવ્યાપી છે. એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.
વિવેત્તન : ‘લોક’ અને ‘અલોક’ શબ્દો, ક્ષેત્રની અપેક્ષાએ જૈનદર્શનમાં